For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

જગપ્રસિદ્ધ ગળધરા ખોડિયાર મંદિરના દ્વાર સુધી પહોંચી ગયા વનરાજા- માણી મિજબાની, જુઓ વિડીયો

02:20 PM Sep 04, 2021 IST | Shivam Patel
જગપ્રસિદ્ધ ગળધરા ખોડિયાર મંદિરના દ્વાર સુધી પહોંચી ગયા વનરાજા  માણી મિજબાની  જુઓ વિડીયો

સોસિયલ મીડિયા પર અવારનવાર ગીરના સિંહોની મિજ્બનીના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે હાલમાપ ના આવા જ એક વિડીયોને લઈ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં વધારો થતા હવે એની ગમે ત્યારે ગમે ત્યાં ઘૂસી જવાની ઘટના બનતી રહેતી હોય છે.

Advertisement

સિંહો ભૂખ્યા-તરસિયા વધારે રહે છે કે, જેને કારણે એમના માટે ભોજનની વ્યવસ્થા કરવાની જરૂર પડતી હોય છે. ધારી ગીરનો હજુ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થયો છે. હાલમાં સામે આવેલ આ વિડીયો સોસિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે.

Advertisement

Advertisement

સોશિયલ મીડિયામાં વીડિયો ખૂબ થઈ રહ્યો છે વાઇરલ:
આ વીડિયો ધારી પાસેના સુપ્રસિદ્ધ ગળધરા ખોડિયાર માતાજીના મંદિરનો છે. અહીં માતાજીના મંદિરનાં પટાંગણ ઉપર ચડીને સિંહો મારણની મિજબાની માણી રહ્યા છે. આ દૃશ્યો સ્થાનિક લોકોએ પોત-પોતાના મોબાઈલમાં કેદ કરતાં સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાઇરલ થયો છે.

સિંહો રહેણાક વિસ્તારમાં આવી જવાની ઘટના સામાન્ય:
સિંહો હવે ગમે ત્યારે ગમે ત્યાં ઘૂસીને રહેણાક વિસ્તારમાં મારણ કરી રહ્યા છે તેમજ થોડી મિનિટો અને કલાકોમા ફરી તે રેવન્યુ અથવા તો ગીર વિસ્તાર બાજુ રવાના થઈ જતા હોય છે. જો કે, કેટલીક જગ્યાએ હવે આવા પ્રકારની ઘટના રોજિંદી બનતી રહેતી હોય છે.

Advertisement

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Tags :
Advertisement
Advertisement