For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ગર્ભાવસ્થા દરમિયાન હળદરવાળું દૂધ પીવું, બાળક માટે છે ખુબ જ ફાયદાકારક- જાણો કેવી રીતે કરવું સેવન

06:54 PM Mar 21, 2024 IST | V D
ગર્ભાવસ્થા દરમિયાન હળદરવાળું દૂધ પીવું  બાળક માટે છે  ખુબ જ ફાયદાકારક  જાણો કેવી રીતે કરવું સેવન

Turmeric Milk: જ્યારે પણ આપણે બીમાર પડીએ છીએ અથવા તો હળવી શરદી ઉધરસ થાય છે ત્યારે દરેક વ્યક્તિ આપણને હળદરવાળું દૂધ પીવાની સલાહ આપે છે. હળદરનું દૂધ દરેક ભારતીય ઘરોમાં દરેક રોગનો ઈલાજ માનવામાં આવે છે અને ઘણા અભ્યાસોમાં એ સાબિત થયું છે કે હળદરનું દૂધ(Turmeric Milk) પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને રોગો દૂર રહે છે.

Advertisement

ગર્ભાવસ્થા એ કોઈ રોગ નથી
પ્રેગ્નન્સી કોઈ બીમારી નથી જેમાં તમારે હળદરવાળું દૂધ પીવું પડે.પ્રેગ્નન્સી ખૂબ જ સુંદર તબક્કો છે અને આમાં તમારે એ વિચારવાની જરૂર નથી કે તમારે શું ખાવું પીવું જોઈએ, હા જો તમે પપેયું ખાસો તો ગર્ભપાત થઇ શકે છે અથવા તો તેનાથી બાળકને નુકસાન થશે.

Advertisement

મર્યાદા જાળવવી પડશે
પ્રેગ્નન્સી દરમિયાન જ નહીં પરંતુ તમારે દરેક સમયે વધારે માત્રામાં કંઈપણ ન ખાવું જોઈએ. જો તમે વધુ માત્રામાં સ્વાસ્થ્યપ્રદ વસ્તુ ખાઓ છો, તો પણ તે તમને ફાયદાને બદલે નુકસાન પહોંચાડશે. તમારે દરેક વસ્તુને મર્યાદિત માત્રામાં લેવાનું શરૂ કરવું પડશે તો જ તમે તેનો લાભ મેળવી શકશો.

Advertisement

હળદરવાળું દૂધ પીવું કે નહીં
તમે ગર્ભાવસ્થા દરમિયાન હળદરવાળું દૂધ પી શકો છો. જો તમે એક ગ્લાસ નવશેકા દૂધમાં બે ચપટી હળદર મિક્સ કરીને પીશો તો તેનાથી બાળકને કોઈ નુકસાન નહીં થાય. આ તમારા શરીરને ચેપ સામે લડવામાં મદદ કરશે. હળદર એક ઉત્તમ એન્ટિસેપ્ટિકનું કામ કરે છે.

Advertisement

હળદરવાળા દૂધના ફાયદા
જો તમને ખાંસી અને શરદી હોય તો હળદરવાળું દૂધ પીવાથી તમને ઘણી રાહત મળે છે અને તમારા શરીરને ઈન્ફેક્શન સામે લડવાની તાકાત મળશે.તેથી જ પ્રેગ્નેન્સી દરમિયાન હળદરનું દૂધ સંયમિત રીતે પીવું સંપૂર્ણપણે સલામત છે.

ફાયદા શું છે
હળદરનું દૂધ પ્રિક્લેમ્પસિયાને રોકવામાં અસરકારક હોવાનું જાણવા મળ્યું છે, જે ગર્ભાવસ્થા દરમિયાન થતી સમસ્યા છે. ડિલિવરી પછી પણ હાઈ બીપીથી બચવા માટે આ ઉપાય કારગર સાબિત થઈ શકે છે. જો કે, કેટલાક નિષ્ણાતો હળદરને દૂધમાં લેવાને બદલે તેને ખોરાક અથવા શાકભાજીમાં ઉમેરીને ખાવાની ભલામણ કરે છે. તેઓ માને છે કે હળદરને દૂધમાં ભેળવીને લેવાથી શરીરમાં એસ્ટ્રોજન હોર્મોનમાં ફેરફાર થઈ શકે છે, જેના કારણે ગર્ભાશય સંકોચન અથવા રક્તસ્ત્રાવ થઈ શકે છે.

Tags :
Advertisement
Advertisement