Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

વંદે ભારત ટ્રેનના દરવાજા લોક: સુરત રેલવે સ્ટેશન પર લાઈટ-એસી બંધ કરવા છતાં ન ખૂલ્યા દરવાજા- જુઓ વિડીયો

02:54 PM Apr 29, 2024 IST | Chandresh

Vande Bharat Train News: વંદે ભારત ટ્રેન આજે ફરીથી ચર્ચામાં આવી રહી છે. અમદાવાદથી મુંબઈ તરફ જતી વંદે ભારત ટ્રેનના દરવાજા જ ના ખૂલતા મુસાફરો ઘણી પરીસ્થિતિનો સમાનો કરવો પડ્યો હતો. સુરત રેલવે સ્ટેશન પર દરવાજા ન ખૂલતા ટ્રેન એક કલાકથી વધુ સમય સુધી ટ્રેન સ્ટેશન (Vande Bharat Train News) પર ઉભી રહી હતી. સુરત ખાતે સવારે 8.20 વાગ્યે વંદે ભારત ટ્રેન પોહચી હતી. પરંતુ ટેક્નિકલ કારણોસર ટ્રેનના દરવાજા ન ખૂલતા મુસાફરો સ્ટેશન પર ઊતરવા માટે ઘણી પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

Advertisement

ટ્રેનમાં લાઈટ, એસી બંધ કરવા છતાં પણ દરવાજા ખુલો શકાય નહોતા. મેન્યુઅલી દરવાજા ખોલવા માટે રેલવે સ્ટાફ મજબૂર બની ગયો હતો. ટ્રેનના સી-14 કોચનો દરવાજો મેન્યુઅલી ખોલવામાં આવ્યો હતો. વંદે ભારત ટ્રેનમાં સુરત રેલવે સ્ટેશન પર ઉતરનારા તમામ મુસાફર સી-14 કોચના દરવાજામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

Advertisement

ટેક્નિકલ ખામી સર્જાતા એક કલાક બાદ દરવાજા ખૂલ્યા
અમદાવાદથી મુંબઈ તરફ જતી વંદે ભારત ટ્રેન સુરત સ્ટેશન ઉપર સવારે પહોંચી ચુકી હતી. વંદે ભારત ટ્રેન અંદાજે 8.20 વાગ્યે સુરત રેલવે સ્ટેશન ઉપર પહોંચતા મુસાફરો પોતાના કોચમાંથી બહાર જવા માટે ઊભા થયા હતા. પરંતુ ટ્રેનના કોચના દરવાજા ખુલતા નહોતા. જેના કારણે મુસાફરો અંદર જ બેસી રહ્યા હતા. થોડીવાર માટે તો કોચમાં બેઠેલા મુસાફરો કંઈ સમજી શક્યા નહોતા. ત્યારપછી રેલવે સ્ટાફ વંદે ભારત ટ્રેન પાસે પણ પહોંચી ગયો હતો.

રેલવે વિભાગના એન્જિનિયર્સ કામે લાગ્યા
વંદે ભારત ટ્રેનના ટેક્નિકલ કારણોસર દરવાજા ખુલી શકાય નહોતા. આથી રેલવે વિભાગના એન્જિનિયર્સની ટીમ તાત્કાલિક તરત જ દોડી આવી હતી અને તેમના દ્વારા ભારે જહેમત ઉઠાવ્યા પછી ટ્રેનના દરવાજા મેન્યુઅલી ખોલવામાં સફળતા મળી હતી.

Advertisement

27 દિવસ પહેલાં જામનગરમાં ભેંસ સાથે અથડાઈ હતી
27 દિવસ પહેલાં જામનગરના રેલવે સ્ટેશન નજીક વંદે ભારત ટ્રેન સાથે ભેંસ અથડાતા અકસ્માતના પગલે ટ્રેન ઉભી રહેતા મુસાફરોના જીવ તાળવે ચોતીઓ ગયો હતા. મળતી માહિતી અનુસાર, કોઈ જાનહાનિ ન થતાં અને સહેજમાં મોટી દુર્ઘટના ટળતાં રેલવે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. થોડી ક્ષણો માટે ટ્રેન રોકાયા પછી પુન: ઓખા તરફ રવાના થઈ હતી. જામનગર-અમદાવાદ વચ્ચે દોડતી ખાસ એક્સપ્રેસ ટ્રેનને 20 દિવસ પહેલાં ઓખા સુધી લંબાવવામાં આવી રહી છે.

Advertisement
Tags :
Next Article