For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં બની પ્રથમ ઘટના: કેનેડામાં મોતને ભેટેલા ગુજરાતી યુવકના પરિવારે મૃતદેહ વતનમાં લાવી કર્યું અંગદાન

12:12 PM May 01, 2024 IST | Chandresh
ગુજરાતમાં બની પ્રથમ ઘટના  કેનેડામાં મોતને ભેટેલા ગુજરાતી યુવકના પરિવારે મૃતદેહ વતનમાં લાવી કર્યું અંગદાન

Gujarat Latest News: અંગદાનના ક્ષેત્રમાં કાર્ય કરતી ડોનેટ લાઈફ સંસ્થાના ટ્રસ્ટી પ્રકાશ પટેલ અને તેમના પરિવારે પોતાના જુવાનજોઘ દીકરો સ્વ. પ્રજેશનું દેહદાન કરી સમાજને (Gujarat Latest News) નવી દિશા બતાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Advertisement

ઝાડા ઉલ્ટી થયા બાદ મોત
ચરોતર પંથકમાં સૌથી નાની ઉંમરના યુવાનના દેહદાનની સૌ પ્રથમ ઘટના બની છે.મૂળ આણંદ જીલ્લાના ઓડ ગામના વતની, હાલમાં મુંબઈ ખાતે રહેતા અને ઈસરોમાં ઈલેક્ટ્રીકલ સર્કિટ, ગોલ્ડ પ્લેટીંગ સપ્લાયનું કામ કરતા અને અંગદાનની જનજાગૃતિ માટે સમાજમાં કાર્ય કરતી સંસ્થા ડોનેટ લાઈફના ટ્રસ્ટી પ્રકાશ પટેલનો 39 વર્ષીય પુત્ર પ્રજેશ તેના પરિવાર સાથે કેનેડામાં રહેતો હતો અને બેકરીની દુકાન ચલાવતો હતો.

Advertisement

રવિવાર તા. 21 એપ્રિલના રોજ પ્રજેશને ઝાડા ઉલટી થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. થોડા કલાકોની સારવાર પછી તેનું બ્લડ પ્રેસર ઘટી જતા તેમજ ઓક્સિજન લેવલ ઓછું થઈ જતા તેનું મૃત્યુ થયું હતું. જેની જાણ મુંબઈમાં રહેતા પરિવારને જાણ કરવામાં આવી હતી.

Advertisement

પાર્થિવ દેહને સુરત લાવવામાં આવ્યો
ડોનેટ લાઈફના ટ્રસ્ટી પ્રકાશભાઈએ એક પળનો વિલંબ કર્યા પુત્ર પ્રજેશની આંખોનું દાન કરાવીને બીજી વ્યક્તિને રોશની આપો, પરંતુ હોસ્પિટલમાં આંખનું દાન થઈ શકયુ ન હતું. સ્વ. પ્રજેશના પાર્થિવ દેહને એમ્બાલ્બીંગની રાસાયણિક પ્રક્રિયા કરીને મોર્ગમાં મુકવામાં આવ્યો હતો અને તેના પાર્થિવ દેહને કેનેડા થી ભારત લાવવા માટેની તૈયારી શરૂ કરવામાં આવી હતી.

મેડીકલના વિદ્યાર્થીઓને શરીરની એનેટોમી શીખવા દાન કરાયું
સોમવાર તા. 29 એપ્રિલના રોજ સ્વ. પ્રજેશના પાર્થિવ દેહને એર ઈન્ડિયાના વિમાન મારફત ટોરેન્ટો થી દિલ્હી, દિલ્હી થી અમદાવાદ, અમદાવાદ થી એમ્બ્યુલન્સ મારફત ઓડ ગામ લાવવામાં આવ્યો ત્યારે વાતાવરણ ખુબ જ ગમગીન બની ગયું હતું અને હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. સ્વ. પ્રજેશના પાર્થિવ દેહને સમયસર દિલ્હી થી અમદાવાદ એર ઈન્ડિયાના વિમાન મારફત સમયસર પહોંચાડવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતીરાજ સિંધિયા અને આણંદના સાંસદ મીતેશભાઇ પટેલ (બકાભાઈ) નો સહકાર સાંપડ્યો હતો. સ્વ. પ્રજેશનો અંતિમ સંસ્કાર કરવાને બદલે મેડીકલના વિદ્યાર્થીઓને શરીરની એનેટોમી શીખવા માટે સ્વ. પ્રજેશના દેહનું દાન કરવું જોઈએ.

Advertisement

આ દેહદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક નીલેશ માંડલેવાલા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રજેશભાઈની પત્ની સેજલ, પિતા પ્રકાશભાઈ, માતા આરતીબેન તથા સમગ્ર સુર્યજર્દા પરિવાર, સસરા હરીશભાઈ, સાસુ કોકીલાબેન, તેમની બહેનો પૂજા અને ચાંદની, CVM એજ્યુકેટીવ બોર્ડના મેમ્બર પ્રદીપભાઈ પટેલ, કિરણભાઈ પટેલ (કોમ્ફી), રેડક્રોસ આણંદના શૈલેશભાઈ પટેલ, CVM યુનિવર્સીટીના ચેરમેન ભીખુભાઈ પટેલ, વાઈસચેરમેન મનીષભાઈ પટેલનો સહકાર સાંપડ્યો હતો.

Tags :
Advertisement
Advertisement