For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ઉત્તરાખંડના જંગલમાં લાગેલી આગે ધારણ કર્યું ભયંકર સ્વરૂપ; 5ના મોત, 1780 એકર જંગલ અસરગ્રસ્ત

12:20 PM May 06, 2024 IST | Chandresh
ઉત્તરાખંડના જંગલમાં લાગેલી આગે ધારણ કર્યું ભયંકર સ્વરૂપ  5ના મોત  1780 એકર જંગલ અસરગ્રસ્ત

Uttrakhand Forest Fire: ઉત્તરાખંડના જંગલોમાં આગની ઘટનાઓબંધ થવાનું નામ જ નથી લઈ રહ્યું. અલ્મોડા અને બાગેશ્વર સહિત ઘણા જિલ્લાઓમાં જંગલો ભડકે બળી રહ્યા છે. એવામાં અલ્મોડા જિલ્લાના જંગલોની આગ ધીરે-ધીરે બેકાબૂ બનતી જાય છે. મળતી માહિતી અનુસાર, રાજ્યના ઘણા જંગલોમાં આગ લાગેલી છે. ત્યાં જ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મુખ્ય સચિવ રાધા રતૂડીને બધા જિલ્લા અધિકારીઓને (Uttrakhand Forest Fire) એક અઠવાડિયાની નોટિસ આપીને જંગલની આગની નિયમિત દેખરેખ કરવા જણાવ્યું છે.

Advertisement

આટલા જંગલો પ્રભાવિત
મીડિયા રિપોર્ટ્સ મુજબ ગયા વર્ષે 1 નવેમ્બરથી અત્યાર સુધી ઉત્તરાખંડના જંગલોમાં આગ લાગવાની કુલ 910 ઘટનાઓ બહાર આવી છે અને લગભગ 1145 હેક્ટર જંગલ પ્રભાવિત થયા ચુક્યા છે. તમને જણાવી દઈએ કે ગયા શનિવારે રાજ્યમાં થઈ રહેલા જંગલોમાં આગની ઘટનાઓને લઈને અધિકારીઓની સાથે બેઠક યોજવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ જંગલોની આગની લપેટમાં આવવાથી અત્યાર સુધી કુલ 5 લોકોના મોત થઈ ચુક્યા છે. ત્યાં જ જંગલોથી નિકળતા ધુમાડાના કારણે લોકોને શ્વાસ લેવામાં ખુબ મુશ્કેલી થઈ રહી છે.

Advertisement

ગુરૂવારની સાંજે બાડાહાટ રેંજના જંગલોમાં ફેલાયેલી આગ રવિવાર સુધી નથી ઓલવાઈ શકી. તેના ઉપરાંત મુખેમ રેંજના ડાંગ, પોખરી ગામની પાસેના જંગલની સાથે ડુંડા રેંજના ચામકોટ અને દિવસૌડ ક્ષેત્રમાં પણ જંગલ આગની લપેટમાં આવી ચુક્યા છે.

Advertisement

મળતી માહિતી અનુસાર, ઘરાસૂ રેંજમાં ફેડી વ સિલક્યારાની પાસે આવેલા જંગલો પણ ધકધકતા જોવા મળી રહ્યા છે. વન વિભાગના આકડા મુજબ વનાગ્નિની લપેટમાં આવીને ઉત્તરકાશી વન પ્રભાગમાં 19.5 હેક્ટર જંગલ બળીને ખાખ થઈ ચુક્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement