For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

પીલીભીતમાં સર્જાયો ત્રિપલ અકસ્માત: ટ્રેક્ટર, ડમ્પર અને કાર વચ્ચે અથડામણ થતાં 5 લોકોના ઉડી ગયા પ્રાણ પંખીડા, પરિવારમાં છવાયો માતમ

02:01 PM Apr 13, 2024 IST | Chandresh
પીલીભીતમાં સર્જાયો ત્રિપલ અકસ્માત  ટ્રેક્ટર  ડમ્પર અને કાર વચ્ચે અથડામણ થતાં 5 લોકોના ઉડી ગયા પ્રાણ પંખીડા  પરિવારમાં છવાયો માતમ

Pilibhit Accident: બિહારમાં રોહતાસના ટેકરી ગેટ પાસે ડમ્પર અને ટ્રેક્ટર વચ્ચેની અથડામણમાં 5 લોકોના મોત થયા છે અને અન્ય 23 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત બુધવારે મોડી રાત્રે ચેનારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો.જે બાદ આ અંગે પોલીસની ટિમને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો(Pilibhit Accident) ઘટનાસ્થળ પર પહોંચી ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.

Advertisement

ઔરંગાબાદ જતી વખતે અકસ્માત
આ અકસ્માત મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ થયો હતો જ્યારે ટેકરી ગેટ પાસે એક ડમ્પર બે લોકોને લઈને જઈ રહેલા ટ્રેક્ટર સાથે અથડાયું હતું. મૃતકોની ઓળખ ભગવતપુરના ઉમાપુર ગામના 26 વર્ષીય બંધન કહાર અને કુદ્રા બજારના 30 વર્ષીય અનિલ બારી તરીકે થઈ છે. આ લોકો ઉમાપુર ગામથી મહુઆ ધામ ઔરંગાબાદ જઈ રહ્યા હતા ત્યારે ઓવરબ્રિજ પાસે પાછળથી એક ડમ્પરે તેમને ટક્કર મારી હતી.

Advertisement

અકસ્માતમાં ડમ્પર ચાલકને ગંભીર ઇજા
આ અકસ્માતમાં ડમ્પર ચાલકને પણ ગંભીર ઈજા થઈ હતી. NHIAના કર્મચારીઓ તમામ ઘાયલોને સારવાર માટે સદર હોસ્પિટલમાં લઈ ગયા. ઘાયલોમાં પૂનમ કુમારી, રાજુ કુમાર, નિર્મલા કુમારી, રીટા કુમારી, ધીરજ કુમાર, શ્યામ નારાયણ, ચંદા, આશા, સૂરજ વગેરેનો સમાવેશ થાય છે. ઘાયલોની હાલત નાજુક છે અને તેમની સારવાર ચાલી રહી છે.

Advertisement

લોકોનું ટોળું એકત્ર થયું
આ અકસ્માતના પગલે લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું.જે બાદ અકસ્માત અંગે પોલીસેને જાણ કરી હતી.જે બાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને અકસ્માતની નોંધ લઇ ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement