For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ગુજરાતનો 64મો સ્થાપના દિવસ: રાજ્ય કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું જાણો તેના વિશે રસપ્રદ માહિતી

11:19 AM May 01, 2024 IST | Chandresh
ગુજરાતનો 64મો સ્થાપના દિવસ  રાજ્ય કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું જાણો તેના વિશે રસપ્રદ માહિતી

Gujarat Foundation day: આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કહેવામાં આવે છે. ગુજરાતના 64માં સ્થાપના દિવસની ઠેર-ઠેર ઉજવણીઓ પણ કરવામાં આવી રહી છે. આજના દિવસે જ કેન્દ્ર સરકારે ભાષાના આધારે બે રાજ્યોની સ્થાપના કરી હતી અને બોમ્બે સ્ટેટ એટલે કે બૃહદ મુંબઈને વિભાજિત કરીને બે રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રને અસ્તિત્વમાં લાવવામાં આવ્યા હતા. એટલા માટે જ આ દિવસને ગુજરાત દિવસ (Gujarat Foundation day), ગુજરાત સ્થાપના દિવસ કે ગુજરાત ગૌરવ દિવસ પણ કહેવામાં આવે છે.

Advertisement

કેવી રીતે થઈ આપણાગરવી ગુજરાતની સ્થાપના?
વર્ષ 1956માં આંધ્રપ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતા બૃહદ મુંબઈમાં પણ ભાષાના આધારે અલગ રાજ્યની માગ કરવામાં આવી હતી. તેના માટે એક મોટું આંદોલન પણ ચાલવામાં આવ્યું હતું. આ આંદોલનને મહાગુજરાત આંદોલન કહેવામાં આવે છે. આ આંદોલનના મુખ્ય પ્રણેતા કહો કે જનક કહો તે ઈન્દુલાલ યાજ્ઞિક જ હતા જેમને લોકો પ્રેમથી ઈન્દુચાચા તરીકે ઓળખે છે.

Advertisement

ગુજરાતની સ્થાપનામાં મહાગુજરાત આંદોલનની ભૂમિકા
ગુજરાતી ભાષી પ્રદેશોને મહાગુજરાત રાજ્ય તરીકે જાહેર કરવા માટે જ મહાગુજરાતની ચળવળ શરુ કરવામાં આવી હતી. આ ચળવળ ખરેખર તો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ દ્ર્રારા શરુ કરી હતી અને ત્યારપછી ટૂંક જ સમયમાં આ ચળવળ 'મહાગુજરાત આંદોલન'માં ફેરવાઈ ગઈ હતી. મહાગુજરાત ચળવળના મુખ્ય હીરો હતા ઈન્દુલાલ યાજ્ઞિક. તેમણે વર્ષ 1956માં એક સ્વતંત્ર ગુજરાત રાજ્યની ચળવળને વેગ આપવામાં આવ્યો હતો.

Advertisement

અલગ રાજ્યની માગ વખતે પંડિત જવાહરલાલ હતા આપણા વડાપ્રધાન
વર્ષ 1955-56ની આજુબાજુ ગુજરાત રાજ્યની અલગ સ્થાપના કરવાની માગે જોર પકડ્યું હતું. ત્યારે કેન્દ્રમાં જવાહર લાલ નેહરુ વડાપ્રધાન પદે હતા. શરુઆતમાં તેમણે આ માગને નજરઅંદાજ પણ કરી હતી. પણ જ્યારે ગુજરાતમાં અલગ રાજ્યની માગ વધારે પ્રબળ થઈ તો કેન્દ્ર અને તત્કાલિન બોમ્બે રાજ્યની સરકારને માગ સ્વીકારવી પણ પડી હતી. તેની સાથે જ પહેલી મે દરમ્યાન રાજ્ય અસ્તિત્વમાં આવી ગયું હતું.

જે ભાગમાં ગુજરાતી ભાષા બોલાતી હતી. તેને ગુજરાતનો ભાગ બનાવામાં આવ્યો અને જે ભાગમાં મરાઠી ભાષા બોલાતી હતી, તેને મહારાષ્ટ્ર રાખવામાં આવ્યું હતું.

Advertisement

ક્યારે ગુજરાત અસ્તિત્વમાં આવ્યું?
ગુજરાતનું સ્વપ્ન સાકાર કરવા ઈન્દુચાચાનાં હુલામણા નામે ઓળખાતાં ઈન્દુલાલ યાજ્ઞિકે તત્કાલિન મુંબઈ રાજ્યમાંથી ગુજરાતને અલગ રાજ્ય તરીકે સ્થાપવા સપ્ટેમ્બર-1956માં મહાગુજરાત જનતા પરિષદની રચના કરીને શરૂ કરેલા મહાગુજરાત ચળવળને પહેલી મે 1960નાં રોજ સફળતા મળી હતી.

1960માં કેન્દ્ર સરકારે 'રાજ્ય પુનઃરચના કાયદો-1956'ના આધારે મુંબઈ રાજ્યનું વિભાજન કરીને બે અલગ રાજ્યની સ્થાપના પણ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે દ્બિભાષી મુંબઈ રાજ્યનાં વિભાજનનો ખરડો પસાર કરી દેવામાં આવ્યો હતો. ત્યારપછી સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતનાં અલગ ગુજરાત રાજ્યનું સ્વપ્ન સાકાર થયું હતું.

કોણ બન્યા હતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી?
ગુજરાત રાજ્યની સ્થાપના સાથે ડો. જીવરાજ મહેતાને રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બનાવામાં આવ્યા અને અમદાવાદને રાજ્યની પ્રથમ રાજધાની બનાવામાં આવી હતી. આપણા રાજ્યના પ્રથમ ગવર્નર મહેંદી નવાઝ જંગ હતા. તે સમયે રાજ્યમાં કુલ 17 જિલ્લા હતા અને હાલમાં કુલ 33 જિલ્લાઓ બની ચૂક્યા છે. બે વર્ષ રાજ્યમાં પહેલી વિધાનસભા ચૂંટણી થઈ તો વિધાનસભમાં કોંગ્રેસને 113 સીટ પર જીત મળી હતી. સ્વતંત્રતા પાર્ટીને 26 અને પ્રજા સોશલિસ્ટ પાર્ટીને 7 અને નૂતન મહાગુજરાત પરિષદને ફક્ત 1 બેઠક મળી. પાર્ટીને 7.74 ટકા વોટ મળ્યા. ગુજરાત રાજ્યના નિર્માતા ઈંદુલાલ યાજ્ઞિકની પાર્ટી જનતા પરિષદને સફળતા મળી નહીં.

Tags :
Advertisement
Advertisement