For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

હવામાન વિભાગની ગરમી લઈને મોટી આગાહી- કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, જાણો રાજ્યમાં કેટલા ડીગ્રી રહેશે તાપમાન

07:26 PM Apr 04, 2024 IST | Chandresh
હવામાન વિભાગની ગરમી લઈને મોટી આગાહી  કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો  જાણો રાજ્યમાં કેટલા ડીગ્રી રહેશે તાપમાન
xr:d:DAFxtF-qjCc:1930,j:2595623095632173028,t:24040412

Gujarat Weather Forecast: હવામાન વિભાગે ફરી એકવાર ગરમીને લઈ આગાહી કરવામાં આવી છે. જે આગાહી એવી છે કે તમારો પસીનો છૂટી શકે છે. રાજ્યમાં આવનાર દિવસોમાં તાપમાનમાં વધારો થવાની (Gujarat Weather Forecast) આગાહી કરવામાં આવી છે. જ્યાં ચાર દિવસ પછી તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થઇ શકે છે. જેના કારણે ગરમીમાં વધારો થઈ શકે છે.

Advertisement

હળવા વરસાદની આગાહી
મળતી માહિતી અનુસાર, અમદાવાદ અને ગાંધીનગરમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ સૌથી વધુ 38.7 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોધવામાં આવ્યું છે. આ સાથે જ હવામાન વિભાગે કચ્છમાં હળવા વરસાદી છાંટા પડવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement

ગરમીનો પારો વધશે
આવનાર દિવસોમાં પણ ગરમીનો પારો વધવાની શક્યતાઓ વય્ક્ત કરવામાં આવી છે. આવા સંજોગોમાં લૂ લાગવાની શક્યતા વધુ રહે છે. વધુ પડતી ગરમીના કારણે ખાસ કરીને નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો, અશક્ત બીમાર હોય તેવા દર્દીઓ, શ્રમિકો અને ખેતમજુરોને લૂ લાગવાની ઘટના વધુ પ્રમાણમાં બની શકે છે. જે જીવલેણ પણ બની શકે છે.

Advertisement

શરીર અને માથાનો દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ત્વચા ગરમ, લાલાશવાળી અને શુષ્ક થઈ જશે, ઉલટી કે ઉબકા થવા કે આવવા, આંખે અંધારા કે ચક્કર આવવા,શ્વાછોસ્વાસ અને હ્રદયના ધબકારા વધી જવા, અતિ ગંભીર હોય તેવા કિસ્સામાં ખેંચ આવવી, બેભાન થઈ જવું જેવા લક્ષણો લુ લાગવા સમયે થાય છે. તે દરેક નાગરીકે જાણવું જરૂરી છે. લુ લાગવાથી બચવાના ઉપાયો કરવા આવશ્યક છે.

લૂથી બચવા શું કરશો ?
ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું બંધ રાખવું જોઈએ. આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ કપડા પહેરવા, માથા પર ટોપી પહેરવી આંખો પર ચશ્મા પહેરવા, માથા પર તડકો ના પડે તે રીતે છત્રીનો ઉપયોગ કરવો જોઈએ.

Advertisement

ભીના સુતરાઉ કપડાથી માથું ઢાંકી રાખવું. જરૂર જણાય તો ભીના કપડાથી શરીરને અવારનવાર લુછવાની આદત રાખવી જોઈએ.

સૂર્ય પ્રકાશ સીધો આવે તેવો હોય તો તેનાથી બચવું અને દિવસ દરમ્યાન ઝાડ નીચે, ઠંડક અને છાંયાવાળા સ્થળમાં રહેવું જોઈએ.

દિવસ દરમ્યાન વધુ પ્રમાણમાં પાણી, લીંબુ શરબત, નારીયેળનું પાણી, ઓ.આર.એસનું દ્રાવણ પીવાની આદત રાખવી જોઈએ.

નાના બાળકો, સગર્ભા માતા, વૃદ્ધઓ અને અશક્ત બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી રાખવી જરૂરી છે.

ગરમીના દિવસોમાં બજારમાં મળતા ખુલ્લા વાસી ખોરાક ખાવા નહીં. સામાજિક પ્રસંગો હોય ત્યારે દૂધ માવામાંથી બનાવવામાં આવેલા ખાધપદાર્થો ખુલ્લા કે વધુ સમય પડતર રહ્યા હોય તો ખાવા નહી.

ગરમીની ઋતુમાં બને ત્યાં સુધી ભુખ્યા ન રહેવું. ચા-કોફી, તમાકુ-સિગારેટ સહિતના ઉત્પાદનોના સેવનથી લુ લાગવાની શક્યતા વધે છે તેથી તેનું સેવન ટાળવું.

Tags :
Advertisement
Advertisement