For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

યુક્રેનના ડ્રોન હુમલામાં રશિયામાં મોતને ભેટેલા યુવકના મૃતદેહને લઈ મુંજવણમાં મુકાયો પરિવાર...

06:08 PM Mar 01, 2024 IST | V D
યુક્રેનના ડ્રોન હુમલામાં રશિયામાં મોતને ભેટેલા યુવકના મૃતદેહને લઈ મુંજવણમાં મુકાયો પરિવાર

Hemil Mangukiya: રશિયા યુક્રેન યુદ્ધમાં સુરતના રહેવાસી યુવકનું મોત થયું છે તો બીજી તરફ તેનો મૃતદેહ પરિવાર સુધી પહોંચે તે માટે પરિવારજનો ચિંતિત હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ એમ્બીસી તરફથી હેમિલનો મૃતદેહ ભારત પહોંચશે તેમ જણાવવામાં આવ્યું છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, ઇન્ડિયન એમ્બીસી(Hemil Mangukiya) તરફથી હેમિલનો મૃતદેહ ભારત પહોંચશે. જ્યારે પરિવારે રશિયા જઈને મૃતદેહ લાવવાની તૈયારી પણ કરી દેવામાં આવી હતી. જોકે હવે ઇન્ડિયન એમ્બેસી તરફથી જવાબ મળતા પરિવારે રાહત અનુભવી છે.

Advertisement

વ્હાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ
રશિયા અને યુક્રેન દેશ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધમાં સુરતના યુવકનું મોત નીપજ્યું છે. સુરતમાં રહેતો હેમિલ અશ્વિનભાઈ માંગુકિયા નામના યુવકનું યુદ્દ્ધમાં મોત નીપજ્યું છે. સુરતનો યુવક બે મહિના પહેલા રશિયા ગયો હતો જ્યાં ડ્રોન હુમલામાં તેનું મોત થયું છે. વ્હાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે તો બીજી તરફ તેનો મૃતદેહ પરિવાર સુધી પહોચે તે માટે પરિવાર ચિંતામાં હતો પરિવારના સભ્યો હેમિલનો મૃતદેહ લેવા જાતે રશિયા જવા પણ તૈયાર થયા હતા જો કે પરિવારજનોના જણાવ્યા મુજબ એમ્બીસી તરફથી હેમિલનો મૃતદેહ ભારત પહોચશે તેમ જણાવવામાં આવ્યું છે

Advertisement

એમ્બેસી તરફથી જવાબ મળતા પરિવારે રાહત અનુભવી
હેમિલના કાકા સુરેશભાઈ માંગુકીયાએ જણાવ્યું હતું કે હેમિલ સાથે જે છોકરાઓ કામ કરતા હતા તેનો ફોન આવ્યો હતો સમીર નામનો છોકરો તેની જોડે કામ કરતો હતો અને તે છોકરાએ જાણ કરી હતી કે ડ્રોન હુમલો થયો છે તેમાં હેમિલનું મોત થયું છે. અમે 4 થી 5 દિવસથી એમ્બીસી સાથે સંપર્કમાં હતા પણ ત્યાંથી કોઈ જવાબ આવતો ન હતો જો કે કાલની તારીખમાં અમને મેસેજ મળ્યો છે કે મૃતદેહની જાણકારી આર્મી તરફથી અમને મળી છે અને મૃતદેહ 3 થી 4 દિવસમાં ભારત સુધી પહોચાડશે.

Advertisement

વધુમાં જણાવ્યું હતું કે શરુઆતમાં અમને એમ હતું કે અમારે જાતે જ રશિયા જવું પડશે જેના માટે અમે વિઝા પણ મૂકી દીધા હતા અને અમે 3 જણા અમે અહીંથી જવાના પણ હતા પણ કાલની તારીખથી અમને એમ્બેસીમાંથી એવા મેસેજ મળ્યા છે કે મૃતદેહને તમારા સુધી અમે પહોચતી કરી દઈશું.

વહાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. તો બીજી તરફ તેનો મૃતદેહ પરિવાર સુધી પહોંચે તે માટે પરિવાર ચિંતામાં હતો. પરિવારના સભ્યો હેમિલનો મૃતદેહ લેવા જાતે રશિયા જવા પણ તૈયાર થયા હતા અને વિઝા પણ એપ્લાય કરી દીધા હતા. જો કે પરિવારજનોના જણાવ્યા મુજબ ઇન્ડિયન એમ્બેસી તરફથી હેમિલનો મૃતદેહ ભારત પહોંચશે તેમ જણાવવામાં આવ્યું છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement