For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

હેવાન બાપે માતાની નજર સામે દીકરીને દર્દનાક મોત આપ્યું- કારણ જાણી પગ તળેથી જમીન સરકી જશે

05:56 PM Mar 07, 2022 IST | Mansi Patel
હેવાન બાપે માતાની નજર સામે દીકરીને દર્દનાક મોત આપ્યું  કારણ જાણી પગ તળેથી જમીન સરકી જશે

બિહારના(Bihar) ગોપાલગંજમાં(Gopalganj) એક સનસનાટી ભર્યો કિસ્સો સામે આવ્યો છે. પોતાની પસંદના છોકરા સાથે લગ્ન કરવાની જીદ પર પરિવારે દીકરીને ખુબ જ દર્દનાક મોત આપ્યું હતું. માતા બચાવી લેવા આજીજી કરતી રહી, પણ હત્યારાઓને કઈ જ ફરક પડ્યો નહિ. તેણે માતાને પણ માર માર્યો હતો. હવે પોલીસ કેસ નોંધીને આરોપીને શોધી રહી છે.

Advertisement

માતા કલાવતી દેવીએ જણાવ્યું કે, તેની દીકરી કિરણ (19) મશાંથાના ગામના એક યુવક સાથે પ્રેમમાં હતી. તે તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. છોકરો પણ તૈયાર હતો, આથી કિરણે તેના પરિવારને તેની પસંદગીના છોકરા સાથે લગ્ન કરવાની વાત કરી હતી. પરંતુ, પરિવારને તે છોકરો પસંદ નહોતો તેથી કિરણના પિતા ઇન્દ્રદેવ રામ તેને બીજે પરણાવવા માંગતા હતા. દીકરીએ લગ્નની જીદ કરતા પરિવાર તેની વિરુદ્ધ થઈ ગયો. રવિવારે રાત્રે તેના પિતા, તેના કાકા અને મોટા પિતા ઘરે પહોંચ્યા હતા. બધા તેને મારવા લાગ્યા. જ્યારે હું મારી દીકરીને બચાવવા આવી તો મને પણ માર મારવા લાગ્યા.

Advertisement

તે દરમિયાન કિરણ પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડવા લાગી. માતા દીકરીના જીવની ભીખ માંગવા લાગી, પરંતુ આરોપીના દિલને પરસેવો છૂટ્યો નહીં. તેઓએ દીકરીને પકડી લીધી હતી. કાકા અમરદેવ રામ અને મોટા પિતા આરગ્ય રામે હાથ-પગ પકડી રાખ્યા હતા અને પિતાએ પહસુલ (શાકભાજી કાપવા માટે વપરાય છે) વડે દીકરીનું ગળું કાપી નાખ્યું હતું. કિરણનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ મૃતદેહને ઉઠાવીને ઘર પાસેના ખેતરમાં ફેંકી આરોપીઓ નાસી ગયા હતા.

Advertisement

ઓનર કિલિંગની સૂચના પર પોલીસ સોમવારે સવારે ગામમાં પહોંચી હતી. માતાનું નિવેદન નોંધી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. સદર એસડીપીઓ સંજીવ કુમારે કહ્યું છે કે તપાસ બાદ ગુનેગારોની ધરપકડ કરવી જોઈએ.

Advertisement

એસડીપીઓ સંજીવ કુમારે કહ્યું, ‘પોલીસને માહિતી મળતાની સાથે જ સ્થળ પર સિટી ઈન્સ્પેક્ટર લાલન કુમારના નેતૃત્વમાં તપાસ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીની પોલીસ તપાસમાં બધું સ્પષ્ટ થઈ ગયું છે. ગુનેગારો પણ જલ્દી પકડાઈ જશે. યુવતી બીજે લગ્ન કરવા માંગતી હતી અને તેના પરિવારના સભ્યો અન્ય કોઈ સાથે લગ્ન કરવા માંગતા હતા, આ વિવાદમાં આ હત્યા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Tags :
Advertisement
Advertisement