Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

'તારક મહેતા...'ના રોશન સિંહ સોઢી 4 દિવસથી ગુમ; પિતાએ નોંધાવી FIR, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન....

12:14 PM Apr 27, 2024 IST | Chandresh

Actor Gurucharan Singh Missing: ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવીને અભિનેતા ગુરચરણ સિંહ લોકપ્રિય બન્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી તે ગુમ હોવાના સમાચાર છે. અભિનેતાના પિતાએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની (Actor Gurucharan Singh Missing) ફરિયાદ નોંધાવી છે. અભિનેતાના ચાહકો તેના ગુમ થવાના સમાચારથી દુખી છે. અભિનેતા 22 એપ્રિલે દિલ્હી એરપોર્ટ પર જોવા મળ્યો હતો, જ્યાંથી તેણે મુંબઈની ફ્લાઈટ પકડવાની હતી. જો કે, તે મુંબઈ પહોંચ્યો ન હતો અને ત્યારથી ઘરે પાછો આવ્યો નથી.

Advertisement

અભિનેતાના ગાયબ થવાને કારણે તેના ચાહકો અને નજીકના લોકો ચિંતામાં મુકાઈ ગયા છે. તે 50 વર્ષનો છે અને માનસિક રીતે સ્વસ્થ છે. તેમનો ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. ખાનગી મીડિયાના અહેવાલ  અનુસાર, અભિનેતાના પિતાએ ગુમ થવાની ફરિયાદ નોંધાવી છે. તેણે નિવેદનમાં લખ્યું છે કે, 'મારો પુત્ર ગુરુચરણ સિંહ, જે 50 વર્ષનો છે, 22 એપ્રિલે સવારે 8.30 વાગ્યે મુંબઈ એરપોર્ટ માટે રવાના થયો હતો. તે ન તો મુંબઈ પહોંચ્યો કે ન ઘરે પાછો આવ્યો. અને તેનો ફોન દ્વારા પણ સંપર્ક થઈ શકતો નથી. તેઓ માનસિક રીતે સ્વસ્થ છે. અમે તેને શોધી રહ્યા છીએ, પરંતુ તે ગાયબ છે.

2020માં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડી દીધું
ગુરૂચરણ સિંહે લોકપ્રિય શોમાં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવી હતી, જે હંમેશા પાર્ટીના મૂડમાં રહે છે અને તેની પત્ની પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવામાં ક્યારેય ડરતો નથી. તે શોના લોકપ્રિય પાત્રોમાંથી એક છે, જો કે તેણે 2013 માં શો છોડી દીધો હતો, પરંતુ લોકોની માંગ પર તે પાછો ફર્યો હતો. વર્ષ 2020 માં તેણે ફરીથી શોથી દૂરી લીધી, તેથી તેની જગ્યાએ અભિનેતા બલવિંદર સિંહ સૂરીને કાસ્ટ કરવામાં આવ્યો.

Advertisement

ગુરુચરણે શો છોડવાનું કોઈ કારણ જણાવ્યું નથી
ગુરુચરણ સિંહે વર્ષ 2021માં શો છોડવાની વાત કરી હતી. તેણે મીડિયાને કહ્યું હતું કે, 'જ્યારે મેં શો છોડ્યો ત્યારે મારા પિતાએ સર્જરી કરાવી હતી. એટલે તેમની સેવા માટે મેં શો ચોળ્યો હતો. કેટલીક અન્ય બાબતો પણ હતી જેના વિશે મારે કહેવું હતું.' લોકો અનુમાન કરી રહ્યા હતા કે ગુરુચરણ સિંહે ચુકવણીમાં વિલંબને કારણે પોતાને શોથી દૂર કરી દીધા હતા, જોકે અભિનેતાએ હંમેશા આ અંગે મૌન રહ્યા હતા. તેણે કહ્યું હતું કે, 'અમને પ્રેમ અને લાગણીથી આગળ વધવું ગમે છે. અન્ય કેટલાક કારણો હતા જેના વિશે હું વાત કરવા માંગતો નથી.

Advertisement

Advertisement
Tags :
Next Article