Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

હૈયું ચીરી નાખે તેવો અકસ્માત, એક જ પરિવારના સાત લોકોના મોત થતા ધ્રુસકે ધ્રુસકે રડ્યું આખું ગામ- 'ઓમ શાંતિ'

11:47 AM May 08, 2022 IST | Mishan Jalodara

રાજેશે છ દિવસ પહેલા જ સાત જન્મ સુધી સાથે રહેવાનું વચન આપીને નંદિની સાથે નવા જીવનની શરૂઆત કરી હતી. ખબર નહીં આ દંપતીને કોની નજર લાગી ગઈ હશે અને સાતમા દિવસે જ બંનેનો સાથ છૂટી ગયો. સુંદરપુર(Sundarpur) ટિકરા(Tikara)ના રહેવાસી લલ્લુનો પરિવાર શનિવારે સવારે 3 વાગ્યે મથુરા(Mathura) પાસે યમુના એક્સપ્રેસ વે(Yamuna Express Way) પર રોડ અકસ્માત(Accident)નો શિકાર બન્યો હતો.

Advertisement

લલ્લુ લગભગ 10 વર્ષથી આખા પરિવાર સાથે દિલ્હીમાં ભાડાના મકાનમાં રહેતો હતો. તેમના પરિવારમાં પત્ની ઉપરાંત છ પુત્ર અને એક પુત્રી છે. ચાર પુત્રો અને એક પુત્રીના લગ્ન થયા હતા. પાંચમા નંબરના પુત્ર રાજેશના લગ્ન થોડાક જ દિવસ પહેલા જ નક્કી થયા હતા. આ કારણે આખો પરિવાર 20 એપ્રિલે દિલ્હીથી સુંદરપુર ટિકરા આવ્યો હતો. 30 એપ્રિલના રોજ રાજેશના લગ્ન ગાંધીનગરના બારાબંકીમાં રહેતી નંદિની સાથે થયા હતા. આ પછી 2 મેના રોજ લલ્લુના ભત્રીજા રામકરણની પુત્રી મોનીના લગ્નમાં આખો પરિવાર હાજર રહ્યો હતો.

શુક્રવારે રાત્રે 11 વાગ્યે લલ્લુ તેની વેગેનાર કારમાં તેની પત્ની, ત્રણ પુત્રો, બે પુત્રવધૂ અને બે પૌત્રો સાથે દિલ્હી જવા નીકળ્યા હતા. કાર ત્રીજા પુત્ર સંજય ચલાવી રહ્યો હતો. શનિવારે સવારે લગભગ 3 વાગ્યે, મથુરા જિલ્લાના નૌહજિલ પોલીસ સ્ટેશનમાં યમુના એક્સપ્રેસ વે પર એક બેકાબૂ કાર એક અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી.

Advertisement

આ અકસ્માતમાં લલ્લુ (55), તેની પત્ની શકુંતલા (50), સંજય (28), તેની પત્ની નિશા (25), રાજેશ (20) અને તેની પત્ની નંદની (19), પૌત્ર ધીરજ પુત્ર સંજયનું મૃત્યુ થયું હતું. નાનો પુત્ર શ્રીગોપાલ (17) અને પૌત્ર ક્રિશ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતની જાણ થતાં ગામમાં હાજર બંને પુત્રો અને ગામના વડા મથુરા પહોંચ્યા.

ગામમાં માત્ર એક વીઘા જમીન:
લલ્લુ પાસે પૈતૃક સંપત્તિ તરીકે માત્ર એક વીઘા જમીન છે, જ્યારે તેનો પરિવાર ઘણો મોટો છે. આવી સ્થિતિમાં ગામમાં પરિવારનું ભરણપોષણ કરવાનો બીજો કોઈ રસ્તો નહોતો. આથી લલ્લુનો આખો પરિવાર ગામમાં બનેલા ઘરને તાળું મારીને દિલ્હીમાં રહીને મજૂરી કરતો હતો.

Advertisement

ચોથા નંબરનો પુત્ર રામબાબુ પણ પરિવાર સાથે દિલ્હી જવા રવાના થયો હતો. કારમાં જગ્યા ન હોવાને કારણે તે પત્ની, બે પુત્રી અને એક પુત્ર સાથે રોડવેઝ બસ દ્વારા દિલ્હી જવા રવાના થયો હતો. આ કારણે તે અને તેનો આખો પરિવાર બચી ગયો હતો.

ગામમાં શોકનો માહોલ અને મૃતકોને વળતર મળે તેવું આપવામાં આવ્યું આશ્વાશન:
એક જ પરિવારના સાત સભ્યોના મોતથી ગામમાં ચકચાર મચી ગઈ છે. અકસ્માતની જાણ થતાં એસડીએમ ડીપી સિંહ અને સીઓ મહાવીર સિંહ સુંદરપુર ટિકરા પહોંચ્યા અને પરિવારજનોને સાંત્વના આપી. આ સાથે ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ વળતર મેળવવાની ખાતરી આપી હતી. અકસ્માતની જાણ થતાં જ સવારથી મોડી રાત સુધી ઘરની બહાર ગ્રામજનોની ભીડ જામી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Advertisement
Tags :
Next Article