For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં રિલાયન્સના 160 પંપ પર પેટ્રોલનું વેચાણ બંધ - જાણો તેના પાછળનું કારણ...

02:11 PM May 16, 2022 IST | Mansi Patel
ગુજરાતમાં રિલાયન્સના 160 પંપ પર પેટ્રોલનું વેચાણ બંધ   જાણો તેના પાછળનું કારણ

ગુજરાત(gujarat): પેટ્રોલ-ડીઝલ (Petrol-diesel)ના ભાવ આસમાને પહોચ્યા છે. જેના કારણે દરેકની ચિંતામાં વધારો થયો છે. એવામાં આ અંગે વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, ક્રૂડ (Crude)ની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારાને કારણે રાજ્યભરમાં આવેલા રિલાયન્સ (Reliance)ના 160 પેટ્રોલ પંપ(Petrol pump) પરથી પેટ્રોલનું વેચાણ બંધ કરાયું છે. વધતા ભાવોની આડઅસર જોવા મળી રહી છે.

Advertisement

ટૂ-વ્હીલરમાં 1 જ લિટર પેટ્રોલ પૂરી આપવામાં આવતું:
જાણવા મળ્યું છે કે, રવિવારે અમદાવાદ સહિત રાજ્યના રિલાયન્સ પેટ્રોલ પંપથી પેટ્રોલનું વેચાણ બંધ કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં રિલાયન્સના 160 પેટ્રોલ પંપ છે. અમદાવાદમાં રિલાયન્સ પેટ્રોલ પંપ પર ટૂ-વ્હીલરમાં માત્ર એક લિટર, જ્યારે ફોર-વ્હીલરમાં 500 રૂપિયાનું પેટ્રોલ પૂરી આપવામાં આવતું હતું. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત વધતાં લોકોમાં ચિંતા વધુ ઘેરી બની છે.

Advertisement

રાજ્યમાં 4 હજાર પેટ્રોલ પંપ છે:
આ અંગે ગુજરાત પેટ્રોલ પંપ એસોસિયેશનના પ્રમુખ અરવિંદ ઠક્કર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રિલાયન્સ ઉપરાંત ખાનગી ક્ષેત્રના એસઆર કંપની અને સેલ કંપનીના પણ પેટ્રોલ પંપ છે. જે મુશ્કેલી રિલાયન્સને પડી રહી છે એ આ કંપનીઓને પણ પડવાની છે. રાજ્યમાં એસઆરના આશરે 1500 અને સેલના આશરે 60 પેટ્રોલ પંપ છે. રાજ્યમાં આશરે 4 હજાર સરકારી કંપનીના પેટ્રોલ પંપ છે. હાલ સરકારી પેટ્રોલ પંપ પર ઝાઝી અસર જોવા મળશે નહીં. આ ઉપરાંત 2008માં પણ રિલાયન્સ પેટ્રોલ પંપ બંધ થયા હતા. આસમાને પહોચેલા પેટ્રોલ-ડીઝલના ભાવે દરેકને ચિંતામાં મૂકી દીધા છે.

Advertisement

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Advertisement
Tags :
Advertisement
Advertisement