Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

વધુ એક મુસ્લિમ ઈમારત ખોદશે સરકાર- દિલ્હીના આ પ્રસિદ્ધ સ્મારક નીચે મંદિર છે કે નહિ તેની તપાસ કરાશે

12:20 PM May 22, 2022 IST | Mishan Jalodara

કુતુબમિનાર(Qutub Minar)ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ઐતિહાસિક પરિસરમાં ખોદકામ કરવામાં આવશે. સાંસ્કૃતિક મંત્રાલયે(Ministry of Culture) સૂચના આપી છે કે કુતુબમિનારમાં મૂર્તિઓની Iconography કરવામાં આવે. રિપોર્ટના આધારે કુતુબમિનાર સંકુલમાં ખોદકામની કામગીરી કરવામાં આવશે. આ પછી, ASI તેનો રિપોર્ટ સાંસ્કૃતિક મંત્રાલયને સોંપવામાં આવશે

Advertisement

સાંસ્કૃતિક સચિવે અધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યા બાદ આ નિર્ણય લીધો છે. તેથી, કુતુબમિનારની દક્ષિણમાં અને મસ્જિદથી 15 મીટરના અંતરે ખોદકામની કામગીરી શરૂ કરી શકાય છે. માત્ર કુતુબમિનાર જ નહીં, અનંગતાલ અને લાલકોટ કિલ્લામાં પણ ખોદકામનું કામ કરવામાં આવશે.

ટીમે સંસ્કૃતિ સચિવ ગોવિંદ મોહન સાથે નિરીક્ષણ કર્યું:
કુતુબ મિનાર પરિસરમાં ખોદકામ કરવાનો નિર્ણય લેતા પહેલા સંસ્કૃતિ સચિવ ગોવિંદ મોહને 12 લોકોની ટીમ સાથે નિરીક્ષણ કર્યું હતું. આ ટીમમાં 3 ઈતિહાસકારો, 4 ASI અધિકારીઓ અને સંશોધકો હતા. આ મામલે ASI અધિકારીઓનું કહેવું છે કે કુતુબ મિનારમાં 1991થી ખોદકામ કરવામાં આવ્યું નથી.

Advertisement

1991 પછી ખોદકામ થયું નથી:
ASI અધિકારીઓનું કહેવું છે કે 1991થી કુતુબ મિનારમાં કોઈ ખોદકામ કરવામાં આવ્યું નથી. આ સિવાય ઘણા સંશોધનો પણ પેન્ડિંગ છે જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કુતુબ મિનારનું નામ બદલવાની માંગ:
કુતુબ મિનારનું નામ બદલવાની માંગ પણ તાજેતરમાં કરવામાં આવી હતી. આ પછી હિન્દુ સંગઠનોના કેટલાક કાર્યકરોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. હિન્દુ સંગઠનોએ કુતુબ મિનારનું નામ બદલીને વિષ્ણુ સ્તંભ રાખવાની માંગ કરી હતી. હિન્દુ સંગઠનના એક કાર્યકર્તાએ કહ્યું હતું કે મુઘલોએ તેને અમારી પાસેથી છીનવી લીધો હતો. આ અંગે અમે અમારી માંગણીઓ મૂકી રહ્યા છીએ. અમારી માંગ છે કે કુતુબ મિનારનું નામ બદલીને વિષ્ણુ સ્તંભ રાખવામાં આવે.

Advertisement

ભગવાન ગણેશની મૂર્તિઓને લઈને પણ વિવાદ થયો હતો:
કુતુબ મિનારમાં રાખવામાં આવેલી ભગવાન ગણેશની મૂર્તિઓને લઈને પણ વિવાદ થયો હતો. મહેરૌલીના બીજેપી કોર્પોરેટર આરતી સિંહે માંગણી કરી હતી કે, કુતુબમિનારમાં મૂર્તિઓને યોગ્ય જગ્યાએ રાખવામાં આવે અને ત્યાં પૂજા-આરતી કરવામાં આવે. તમને જણાવી દઈએ કે કુતુબમિનારમાં મંદિર બનાવવા અને દેવી-દેવતાઓની મૂર્તિઓને ક્ષતિગ્રસ્ત રીતે રાખવાનો વિવાદ દાયકાઓ જૂનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Advertisement
Tags :
Next Article