For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યું રાજીનામું જાણો કયા કારણથી કરવું પડ્યું આવું

02:46 PM Jun 05, 2024 IST | V D
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યું રાજીનામું જાણો કયા કારણથી કરવું પડ્યું આવું

PM Modi resigns: લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ એટલે કે એનડીએને 292 સીટ (NDA) સાથે ગઠબંધન ને બહુમતી મળી ગઈ છે. ગઈકાલે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પોતાની ત્રીજી ટર્મમાં શું કાર્ય કરવાના છે તેની વાત કરીને ફરી એકવાર મોદી(PM Modi resigns) સરકાર બનશે તે વાતને સમર્થન આપી દીધુ હતું.

Advertisement

લોકસભાની (PM Modi resigns) ચૂંટણી પૂર્ણ થયા બાદ બહુમતી પક્ષના નેતાએ રાજીનામું આપવાનું હોય છે અને નવા ચૂંટાયેલા નેતાએ શપથ લેવાના હોય છે ત્યારે આ રીતે અનુસરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનું રાજીનામું સોંપી દીધું છે સાથે સાથે જ સમગ્ર મંત્રીમંડળ પણ આ રાજીનામાની સાથે વિસર્જિત થઈ ગયું છે.

Advertisement

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ દ્વારા રાજીનામું (PM Modi resigns) સ્વીકારી લેવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો કોંગ્રેસને 99 બેઠક જ્યારે ઇન્ડિયા બ્લોકને 234 બેઠકો મળી છે. કોંગ્રેસ અને ઇન્ડિયા બ્લોકના નેતાઓ સતત નીતીશકુમાર અને ટીડીપીના ચંદ્રબાબુ નાયડુ ને પોતાની તરફ આવવા માટે આમંત્રણો આપી રહ્યા છે પરંતુ આ કોઈ વાતમાં આવ્યા વિના નીતીશકુમાર અને ચંદ્રબાબુ નાયડુ નરેન્દ્ર મોદીને પોતાનું સમર્થન આપીને પોતાની માંગણીઓ પૂરી કરાવી લેવાના સ્પષ્ટ મૂડ માં છે.

Advertisement

સૂત્રો અનુસાર આ બંને નેતાઓ દ્વારા પોતાના પક્ષમાં નાણામંત્રાલય શિક્ષણ મંત્રાલય સહિતના અગત્યના પોર્ટફોલિયો આવે તેવી માંગણી કરી છે. ત્યારે નરેન્દ્ર મોદી આ પોર્ટફોલિયો આપી દે એવી માંગણી કરી છે. ત્યારે એનડીએ દ્વારા આ માંગણીઓ પૂરી કરીને આ બંને નેતાઓને રાજી રાખશે એવી વાત સામે આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર એનડીએ ગઠબંધનના નેતા તરીકે નરેન્દ્ર મોદીની વરણી આજે સાંજ સુધીમાં થઈ જશે અને આઠ તારીખ ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાનમંત્રી મોદી ભારતના વડાપ્રધાન તરીકે ત્રીજી વખત શપથ લેશે અને તેમનું મંત્રીમંડળ પણ શપથ લેશે.

Advertisement

Tags :
Advertisement
Advertisement