For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

PM મોદી પાસે રહેલી ગાયનું ઘી મળે છે 10થી 50 હાજર રૂપિયાનું કિલો અને એક લીટર દૂધની કિંમત છે અધધધ...જાણો તેની ખાસિયતો

04:19 PM Jan 18, 2024 IST | Chandresh
pm મોદી પાસે રહેલી ગાયનું ઘી મળે છે 10થી 50 હાજર રૂપિયાનું કિલો અને એક લીટર દૂધની કિંમત છે અધધધ   જાણો તેની ખાસિયતો

Punganur Cow Price: મકરસંક્રાંતિના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના નિવાસસ્થાને કેટલીક ગાયોને ચારો ખવડાવીએ રહ્યા છે. પીએમ મોદીએ તેમની ઓફિસીયલ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ગાયો સાથેની તસવીરો પણ સેર કરવામાં આવી હતી. આ જોઈને લોકો વચ્ચે આ નાની ગાયો ચર્ચાનો વિષય બની રહી છે અને લગભગ લોકો તેના વિશે જાણવા માંગતા હતા કે તેઓ કઈ જાતિના છે? તેમની વિશેષતા શું છે? વાયરલ વિડિયોમાંમાં લોકો ખૂબ જ નાની ગાય (Punganur Cow Price) જોઈ શક્યા હતા. પીએમ મોદી પણ પહેલીવાર આ ગાયોને સંભાળતા જોવા મળ્યા હતા. રાજકીય નિષ્ણાતોના મતે પીએમ મોદી આ ગાયો દ્વારા દક્ષિણ ભારતના મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

Advertisement

રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે જે ગાયો સાથે પીએમ મોદીનો ફોટો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો, તેનું દક્ષિણ ભારતમાં ઘણું મહત્વ છે. આ વસ્તુઓ સિવાય પણ ઘણા લોકો આ ગાય વિશે જાણવા માંગતા હતા. આવો, ચાલો જાણીએ પુંગનુર ગાય વિશે:

Advertisement

પીએમ મોદીએ જે પુંગનુર ગાયોને ચાહ્યા તે આંધ્રપ્રદેશ સાથે જોડાણ ધરાવે છે. આ ગાયોને લઈને માત્ર આંધ્રમાં જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ભારતમાં ઘણી ધાર્મિક માન્યતાઓ છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Narendra Modi (@narendramodi)

એવું પણ માનવામાં આવે છે કે જ્યારે અમૃત મેળવવા માટે સમુદ્ર મંથનમાંથી ઘણી દુર્લભ વસ્તુઓ બહાર આવી ત્યારે સુરભિ ગાય તેમાંથી એક હતી. વેદ અને પુરાણોમાં સુરભી ગાયને કામધેનુ પણ કહેવામાં આવી છે. આંધ્રના લોકો માને છે કે પુંગનુર એ સુંદર ગાયનું સ્વરૂપ છે.

Advertisement

પુંગનુર ગાયની આ જાતિ ચિત્તૂર જિલ્લાની છે, જેની કિંમત 2 લાખથી 25 લાખ રૂપિયાની વચ્ચે છે. એવું માનવામાં આવે છે કે આ ગાયના દૂધમાં ઘણા ઔષધીય ગુણો પણ હોય છે.

પુંગનુર ગાય 70 થી 90 સેમી ઉંચી અને 100 થી 200 કિલો વજનની હોય છે. આ જાતિની ગાય દરરોજ લગભગ 3 લીટર દૂધ આપે છે. આ દૂધ મહત્તમ રૂ. 1,000 પ્રતિ લીટરના ભાવે વેચાય છે અને તેમાંથી બનેલા ઘીની કિંમત રૂ. 10,000 થી રૂ. 50,000 પ્રતિ કિલો છે.

કહેવાય છે કે આ પુંગનુર ગાયના દૂધથી ભગવાન તિરુપતિ બાલાજીનો અભિષેક કરવામાં આવે છે. તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદ માટે બનાવાતા લાડુમાં પણ આ ગાયનું દૂધ વપરાય છે.પુંગનુર ગાય હાલમાં આંધ્રના પૂર્વ ગોદાવરી જિલ્લાના લિંગમપટ્ટી ગામમાં ચાર એકરમાં ફેલાયેલી ગૌશાળામાં સાચવવામાં આવી રહી છે. ગાય જેટલી નાની હોય છે તેટલી તેની કિંમત વધારે હોય છે.

Tags :
Advertisement
Advertisement