For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરતના પરિવારે માતમમાં પણ માનવતા ખીલવી... 46 વર્ષીય બ્રેઇનડેડ કિરણકુમારના અંગદાનથી 5 લોકોને મળશે નવજીવન

02:01 PM Apr 16, 2024 IST | Drashti Parmar
સુરતના પરિવારે માતમમાં પણ માનવતા ખીલવી    46 વર્ષીય બ્રેઇનડેડ કિરણકુમારના અંગદાનથી 5 લોકોને મળશે નવજીવન

Organ Donation in Surat: ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. લેઉવા પટેલ સમાજના 46 વર્ષીય કિરણકુમાર રમેશભાઈ વેકરીયાના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી કિરણકુમારના લિવર, કિડની અને ચક્ષુઓનું દાન(Organ Donation in Surat) કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.

Advertisement

મૂળ ગામ મોલડી, તા. સાવરકુંડલા, જી. અમરેલીના વતની, હાલમાં ઓપેરા રોયલ રેસીડેન્સી, ખોલવડ રોડ, પાસોદરા પાટીયા પાસે, ખોલવડ, સુરત ખાતે રહેતા અને મકાન લે-વેચની દલાલી કરતા કિરણકુમાર 11 એપ્રિલના રોજ વરાછા, સીમાડા નાકા પાસે ખોડલ રેસ્ટોરન્ટમાં ટીફીન લેવા ગયા હતા. ટીફીન લઇને પોતાના ઘરે (પાસોદરા પાટિયા) જતા હતા ત્યારે લસકાણા રેલ્વે બ્રીજ પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેઓ મોટરસાયકલ પરથી નીચે પડી જતા માથામાં ઈજાઓ થવાથી બેભાન થઈ ગયા હતા.

Advertisement

108 એમ્બ્યુલન્સ મારફત તેમને કામરેજમાં આવેલ દીનબંધુ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા. ત્યા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પરિવારજનોએ તેમને સુરતની વિનસ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કર્યા હતા. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ અને મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. 14 એપ્રિલના રોજ તેને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

Advertisement

કિરણકુમારના બ્રેઈનડેડ અને પરિવારજનોએ તેમના અંગદાનની ઈચ્છા વ્યક્ત કરી છે તેમ જણાવ્યું હતું. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી કિરણકુમારના પિતા રમેશભાઈ, ભાઈ દિનેશભાઈ, કાકા નીતિનભાઈ અને જયેશભાઈ, મામા રસિકભાઈ અને હિતેશભાઈ તેમજ વેકરીયા પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.

કિરણકુમારના ભાઈ દિનેશભાઈએ જણાવ્યું કે અમે વારંવાર વર્તમાનપત્રોમાં અંગદાન અંગેના સમાચારો વાંચતા હતા. અંગદાનનું કાર્ય એક ઈશ્વરીય કાર્ય છે, શરીર રાખ જ થઈ જવાનું છે, ત્યારે મારા ભાઈ ના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો. કિરણકુમારના પરિવારમાં પિતા રમેશભાઈ ઉં.વ.65, જેઓ નિવૃત જીવન જીવે છે, માતા લાભુબેન નવેમ્બર 2023માં મૃત્યુ પામેલ છે, ભાઈ દિનેશભાઈની વરાછામાં આઈસ્ક્રીમની દુકાન છે.

Advertisement

પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા લિવર સુરતની કિરણ હોસ્પિટલને, બે કિડનીમાંથી એક કિડની અમદાવાદની સીમ્સ હોસ્પિટલ અને બીજી કિડની સ્ટર્લીંગ હોસ્પીટલને ફાળવવામાં આવી હતી. લિવરનું દાન સુરતની કિરણ હોસ્પિટલે સ્વીકાર્યું હતું. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકએ સ્વીકાર્યું હતું.

દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના રહેવાસી 59 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામાં આવ્યું હતું. દાનમાં મેળવવામાં આવેલી બે કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની સીમ્સ હોસ્પિટલ અને સ્ટર્લીંગ હોસ્પીટલમાં બે જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવશે. માનવતાના આ મહાયજ્ઞમાં અમૂલ્ય અંગોનું દાન આપનાર કિરણકુમાર રમેશભાઈ વેકરીયાના પરિવારની ડોનેટ લાઈફ ભાવ વંદના કરે છે. તેમના પરિવારજનોને તેમના આ સેવાકીય સંકલ્પ બદલ ઋણ સ્વીકાર કરીએ છીએ.

Tags :
Advertisement
Advertisement