For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપા ને ધરાવો નાળિયેરના મોદકનો ભોગ, અત્યારે જ જાણી લો રેસીપી

06:04 PM Sep 03, 2021 IST | Prince Maniya
ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપા ને ધરાવો નાળિયેરના મોદકનો ભોગ  અત્યારે જ જાણી લો રેસીપી

ગણેશ ચતુર્થી એટલે કે ગણેશ ઉત્સવનો પ્રારંભ.ગણેશ ઉત્સવમાં 11 દિવસ સુધી બાપ્પાની પૂજા-અર્ચના કરવામાં આવે છે અને તેમને રોજ અલગ-અલગ પ્રકારનો ભોગ ધરાવામાં આવે છે.ભગવાન ગણેશજીને પ્રસાદમાં લાડૂ અને મોદક વધારે પ્રિય છે.ત્યારે તમે રોજ તેમને ધરાવવા માટે અલગ-અલગ પ્રકારના મોદક શીખી લો. આજે અમે તમને નારિયેળ મોદક બનાવવાની રીત શીખવી રહ્યા છીએ.

Advertisement

નાળિયેરના મોદક બનાવવાની સામગ્રી : 2 કપ સૂકા નારિયેળનું છીણ, 3/4 કપ કન્ડેન્સડ દૂધ,2 ટે.સ્પૂન ઘી,4-5 ચમચી દૂધ

Advertisement

નારીયેર ના મોદક બનાવવાની રીત : એક પેનમાં ઘી લઈને ગરમ થવા દો.ઘી ગરમ થાય એટલે નાળિયેરનું છીણ તેમાં 5-7 મિનિટ માટે શેકી લો.ગેસની ફ્લેમ ધીમી રાખવી.હવે તેમાં કન્ડેન્સડ મિલ્ક ઉમેરીને એક બે મિનિટ માટે શેકી લો. હવે તેમાં દૂધ ઉમેરો અને સતત ત્યાં સુધી હલાવતા રહો જ્યાં સુધી દૂધ સોષાઈ ન જાય તો મિશ્રણ તૈયાર છે.

Advertisement

હવે મોદક બનાવવાના મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરી લો. તેમાં તૈયાર કરેલું થોડું મિશ્રણ ભરીને તેને પ્રેસ કરો. આ રીતે તેનો શેપ મોદક જેવો થઈ જશે. મિશ્રણમાંથી આ રીતે બધા મોદક તૈયાર કરી લો. તૈયાર છે નારીયેર ના મોદક.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Advertisement

Advertisement
Advertisement