For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

નાસ્ત્રેદમસની ભારતનાં આગામી વડાપ્રધાન કોણ બનશે? કરી દીધી ભવિષ્યવાણી

12:47 PM May 11, 2024 IST | Chandresh
નાસ્ત્રેદમસની ભારતનાં આગામી વડાપ્રધાન કોણ બનશે  કરી દીધી ભવિષ્યવાણી

Nostradamus Predictions 2025: હાલમાં દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે.તેમજ આ ગરમી વચ્ચે વરસાદ પણ પડી રહ્યો છે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીને (Nostradamus Predictions 2025) લઈને ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જે રીતે એપ્રિલ મહિનામાં જ ગરમીની શરૂઆત થઈ હતી તે દરમિયાન જ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે મે મહિનામાં પણ તડકો આકરો રહેશે અને આકરી ગરમીમાં લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બનશે. મહાન ફ્રેન્ચ ભવિષ્યવેત્તા નાસ્ત્રેદમસસે પણ વિશ્વમાં વધતી ગરમી અને ગ્લોબલ વોર્મિંગની આગાહી કરી છે. આવી સ્થિતિમાં ઉનાળાને લઈને નોસ્ટ્રાડેમસની વધુ એક ભવિષ્યવાણી સાચી પડતી જોવા મળી રહી છે. આવો, આપણે જાણીએ કે નાસ્ત્રેદમસ એ અન્ય કઈ કઈ ભવિષ્યવાણીઓ કરી છે.

Advertisement

ધૂમકેતુ આકાશમાંથી પડશે
નોસ્ટ્રાડેમસે કુદરતી આફતો અને વિનાશની આકાશમાંથી પડતી સંભાવના વિશે પણ આગાહી કરી છે. નોસ્ટ્રાડેમસના જણાવ્યા અનુસાર, આકાશમાંથી પૃથ્વી પર ધૂમકેતુ પડી શકે છે, જે ભારે વિનાશનું કારણ બનશે. તે જ સમયે, અન્ય કેટલાક કારણો જેવા કે અન્ય ગ્રહના લોકો દ્વારા હુમલાની સંભાવના સાથે સંબંધિત આકાશમાંથી આગાહીઓ પણ કરવામાં આવી છે.

Advertisement

વિશ્વભરમાં ભારે હવામાન અને કુદરતી આફતોની ઘટનાઓ
નોસ્ટ્રાડેમસની ઉનાળા વિશેની આગાહીઓ સાચી પડતી દેખાઈ રહી છે. આ સિવાય નોસ્ટ્રાડેમસે આ વર્ષે ઘણી જગ્યાએ પૂર અને કેટલીક જગ્યાએ દુષ્કાળની પણ આગાહી કરી છે. નોસ્ટ્રાડેમસના મતે આખી દુનિયા હવામાનની ઝપેટમાં આવશે અને કેટલીક જગ્યાએ આકરી ગરમી અને કેટલીક જગ્યાએ ધ્રૂજતી ઠંડીથી લોકોની ઊંઘ ઉડી જશે. તે જ સમયે, નોસ્ટ્રાડેમસે જાપાનના દરિયાકાંઠાના શહેરો વિશે ચેતવણી આપી હતી કે આ વર્ષે ભૂકંપ અને સુનામી જેવી ઘટનાઓ પણ આવી શકે છે.

Advertisement

બ્રિટિશ રાજવી પરિવારમાં હલચલ મચી જશે
નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણી અનુસાર બ્રિટિશ શાહી પરિવારમાં ઘણી એવી ઘટનાઓ જોવા મળશે, જેના પર આખી દુનિયાની નજર ટકેલી હશે. પ્રિન્સ હેરી અને મેગન માર્કલ વચ્ચેના વિવાદ બાદ વર્ષ 2022માં બ્રિટનની મહારાણી એલિઝાબેથના અવસાન બાદ રાજા ચાર્લ્સના રાજ્યાભિષેકની ચર્ચા ચાલી હતી. આ પછી, બ્રિટિશ રાજવી પરિવાર તરફથી ચોંકાવનારા સમાચારોની શ્રેણી આવી, જેમાં કિંગ ચાર્લ્સની માંદગી અને પ્રિન્સ વિલિયમ અને તેમની પત્ની ક્વીન કેથરીન મિડલટન વચ્ચેના વિવાદના સમાચારે નોસ્ટ્રાડેમસની આ આગાહીને સાચી ઠેરવી છે.

અંધકાર પૃથ્વીને ઢાંકી દેશે
નોસ્ટ્રાડેમસે પણ પોતાની ભવિષ્યવાણીમાં ઉલ્લેખ કર્યો છે કે પૃથ્વી પર કેટલીક એવી ઘટનાઓ બનશે જેના કારણે સમગ્ર પૃથ્વી પર અંધકાર છવાઈ જશે. લોકો આ આગાહીને સૂર્યગ્રહણ સાથે જોડી રહ્યા છે. 8 એપ્રિલ, 2024ના રોજ અમેરિકામાં થયેલા સૌથી લાંબા સૂર્યગ્રહણે પણ પૃથ્વીને થોડા સમય માટે અંધકારમાં છોડી દીધી હતી. તે જ સમયે, નોસ્ટ્રાડેમસ અનુસાર, પૃથ્વી પર થઈ રહેલી કુદરતી આફતોને કારણે, પૃથ્વી પર 7 દિવસ સુધી અંધકાર રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના 2022 થી 2029 ની વચ્ચે થશે.

Advertisement

તપસ્યા કરતા સાધુઓ હિમાલયમાં આવશે
નોસ્ટ્રાડેમસ દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણી પૂર્વીય દેશ એટલે કે ભારત વિશે કહેવામાં આવી રહી છે. આ ભવિષ્યવાણી અનુસાર દૈવી ઋષિ-મુનિઓ તપસ્યા કરતા હિમાલયમાં પધારશે. જેના રહસ્યો અને ચમત્કારોની ચર્ચા આખી દુનિયામાં થશે. આ દિવ્ય પુરુષ હજારો વર્ષોથી જીવંત છે.

Tags :
Advertisement
Advertisement