For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

મહેંદીની જગ્યાએ આખા હાથ પર 'સુસાઇડ નોટ' લખી નવપરિણીત દીકરીએ ટુકાવ્યું જીવન 'ઓમ શાંતિ'

11:18 AM May 21, 2022 IST | Mayur Patel
મહેંદીની જગ્યાએ આખા હાથ પર  સુસાઇડ નોટ  લખી નવપરિણીત દીકરીએ ટુકાવ્યું જીવન  ઓમ શાંતિ

હરિયાણાના (Haryana) સાયબર સિટી ગુડગાંવમાં આપઘાતનો એક કિસ્સો સૌને ચોંકાવી રહ્યો છે. ગુડગાંવના કાર્ટર પુરી ગામમાં 25 વર્ષની નવપરિણીત રીતુએ પોતાના હાથ પર સુસાઈડ નોટ લખી જીવનનો અંત આણ્યો હતો. તેણે આ આપઘાત માટે સાસરિયા પક્ષને જવાબદાર ગણાવ્યો છે. સુસાઈડ નોટમાં તેણે છેલ્લી ઈચ્છા વિશે લખ્યું હતું કે મારા સાસરિયાઓ મારું મોઢું પણ ન જુવે.

Advertisement

હાથ પરની સુસાઈડ નોટ ઉપરાંત રીતુએ પાંચ પેજ પર આપઘાત પાછળના કારણોનો પણ ઉલ્લેખ કર્યો છે. મૃતકે લખ્યું- ‘હું મારા સાસરિયાઓના ટોણાથી પરેશાન થઈ ગઈ છું. મારા બાળપણના ગામમાં જ મારા અંતિમ સંસ્કાર થવા જોઈએ. મારા અંતિમ સંસ્કાર હનીમૂનની જેમ ન કરો. સુહાગની વસ્તુઓને અંતિમ સંસ્કારથી દૂર રાખવી.’

Advertisement

રિતુના ભાઈ કુલદીપે કહ્યું, ’18 ફેબ્રુઆરીએ મારી બહેનના લગ્ન દિલ્હીના દરિયાપુર ખુર્દના રહેવાસી ચેતન સાથે થયા હતા. મારી બહેન એમબીએ કર્યા પછી નોકરી કરવા માગતી હતી, પરંતુ તેના સાસરિયાઓને તે પસંદ ન હતું. બહેનનો પતિ ચેતન, જેઠ કુલદીપ, જેઠાણી શોભા અને સાસુ રમેશ દેવી તેમને દહેજ માટે ત્રાસ આપતા હતા. જેના કારણે તેણીને આપઘાત કરવાની ફરજ પડી હતી.

Advertisement

સંબંધીઓનું કહેવું છે કે, રીતુના લગ્ન ત્રણ મહિના પહેલા જ થયા હતા. લગ્નમાં અમે અમારા સ્ટેટસ કરતાં વધુ દહેજ આપ્યું હતું. તેણીના સાસરીયાઓ નાની નાની બાબતે દહેજ માટે તેણીને ત્રાસ આપતા હતા. તે જ સમયે, કુલદીપે કહ્યું કે અમે અમારી બહેનને સમજાવતા હતા કે થોડા દિવસો પછી બધું સારું થઈ જશે. પરંતુ અમને નહોતી ખબર કે, સાસરીયાઓના ટોણાથી કંટાળીને તેણી આપઘાત કરી લેશે… કુલદીપની ફરિયાદ પર ગુરુગ્રામના પાલમ વિહાર પોલીસ સ્ટેશને સાસરિયાઓ વિરુદ્ધ દહેજ હત્યાનો કેસ નોંધ્યો છે. ચોંકાવનારા મામલાની તપાસમાં પોલીસ એકત્ર થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Advertisement

Tags :
Advertisement
Advertisement