Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

વૈજ્ઞાનિકોની સમજથી બહાર છે ભારતનું આ રહસ્યમય મંદિર: જ્યાં વરસાદ થતાં પહેલાં જ મળી જાય છે સંકેત, જાણો તેનું પૌરાણિક કારણ

07:10 PM Apr 08, 2024 IST | V D

Monsoon Temple: વિશ્વમાં ઘણા અજીબોગરીબ નજારા છે જેની પાછળનું રહસ્ય હજી સુધી ઉલજાયેલું છે. આપણા દેશમાં ઘણા રહસ્યમય અને ચમત્કારિક મંદિરો આવેલા છે. જેના વિશે જાણીને આશ્ચર્ય થાય છે. વૈજ્ઞાનકો પણ આજદિન સુધી આ ચમત્કાર વિશે જાણી શક્યા નથી. આજે અમે તમને એક એવા ચમત્કારિક મંદિર વિશે વાત કરીશું એ મંદિરનો મહિમાં ખૂબ જ અલગ છે. આ મંદિર વરસાદ(Monsoon Temple) આવતા પહેલાં જ વરસાદ આવવાના સંકેત આપી દે છે.

Advertisement

વૈજ્ઞાનિકોએ સંશોધન પણ કર્યું,પરંતુ તેઓ નિષ્ફ્ળ રહ્યા
ઉત્તર પ્રદેશના આ રહસ્યમય મંદિરના ચમત્કાર વિશે વાત કરતા કહેવામાં આવે છે કે મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત પથ્થર હવામાન વિભાગ તરફથી સચોટ આગાહી કરવામાં સક્ષમ છે. ચોમાસાના આગમનના થોડા દિવસો પહેલા જ મંદિરના પથ્થરો ટપકવા લાગે છે. પથ્થરમાંથી પાણીના ટીપાં ટપકતા પ્રમાણ એ ચોમાસા દરમિયાન વરસાદની માત્રાનો સંકેત આપે છે. આ પથ્થર ચોમાસા પહેલા અને પછી લગભગ સાડા 11 મહિના સુધી સુકાઈ જાય છે. આ મંદિરના રહસ્ય પર વૈજ્ઞાનિકોએ સંશોધન પણ કર્યું છે, પરંતુ આજ સુધી તેનો કોઈ પત્તો મળ્યો નથી.

મંદિરની પ્રાચીનતાની સચોટતા હજુ સુધી બહાર આવી નથી.
ભગવાન જગન્નાથનું આ મંદિર કાનપુર હેડક્વાર્ટરથી ત્રણ કિલોમીટર દૂર બેહટા ગામમાં આવેલું છે. મંદિરમાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાની મૂર્તિઓ સ્થાપિત છે. આ મંદિર પુરાતત્વ વિભાગની દેખરેખ હેઠળ છે. જે રીતે ઓરિસ્સાના જગન્નાથ મંદિરમાંથી રથયાત્રા કાઢવામાં આવે છે તેવી જ રીતે અહીં પણ રથયાત્રા કાઢવામાં આવે છે. આ મંદિર ઘણું વિશાળ છે. તેની દિવાલો પણ 14 ફૂટ જાડી છે, પરંતુ આ મંદિરની પ્રાચીનતા વિશે હજુ સુધી ચોક્કસ માહિતી મળી શકી નથી. એવું કહેવાય છે કે એક વખત પુરાતત્વ વિભાગે મંદિરની પ્રાચીનતા જાણવા માટે અહીં હાજર પથ્થરોની કાર્બન ડેટિંગ કરી હતી, જેના કારણે દાવો કરવામાં આવે છે કે મંદિરની પ્રાચીનતા લગભગ 4 હજાર વર્ષ જૂની છે.

Advertisement

આ મંદિર બૌદ્ધ સ્થાપત્યનું ઉદાહરણ છે
કાનપુરમાં ભગવાન જગન્નાથનું આ મંદિર એક વિશાળ બૌદ્ધ સ્તૂપ જેવું લાગે છે. આ મંદિરની અંદર ભગવાન જગન્નાથની મુખ્ય મૂર્તિ છે. મૂર્તિથી મંદિર સુધીનું બાંધકામ નાગર શૈલીમાં કરવામાં આવ્યું છે. આ મંદિરની યોગ્ય જાળવણીના અભાવે આ મંદિરનો કેટલોક ભાગ જર્જરિત બની ગયો છે. આ મંદિરમાં દૂર-દૂરના વિસ્તારોમાંથી ભક્તો પૂજા માટે આવે છે.

આ મંદિર ખેડૂતો માટે મદદરૂપ છે
ભગવાન જગન્નાથના આ ચમત્કારિક મંદિરના મહિમાનો સ્થાનિક ખેડૂતો ભરપૂર લાભ લે છે. ખેડૂતો તેમની ખેતી મંદિરની આગાહીના આધારે જ કરે છે. મંદિર ચોમાસાની ઘોષણા કરે કે તરત જ ખેડૂતો તે મુજબ પાકની વાવણી અને કાપણી કરે છે.

Advertisement

વરસાદના 6-7 દિવસ પહેલા મળે છે સંકેત
સ્થાનિક લોકોનું કહેવું છે કે, વરસાદ થવાનો હોય છે તેના 6-7 દિવસ પહેલા જ આ મંદિરની છત પરથી પાણીના ટીપા પડવા લાગે છે. આ સંકેતથી ખેડૂતો પોતાના પાકને સુરક્ષિત કરી લે છે. સ્થાનિક લોકોની સાથે વૈજ્ઞાનિકો માટે પણ આ વાત ઘણી રસપ્રદ અને રહસ્યમય છે કે આખરે આ ચમત્કાર કઈ રીતે થાય છે.

Advertisement
Tags :
Next Article