Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

મોહિની એકાદશીનું વ્રત ક્યારે કરશો? જાણો અહીં ચોક્કસ તારીખ

02:36 PM May 09, 2024 IST | Drashti Parmar

Mohini Ekadashi 2024: સનાતન ધર્મમાં એકાદશીનું ખૂબ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે એકાદશીના દિવસે યોગ્ય વિધિ-વિધાન સાથે પૂજા અને ઉપવાસ કરવાથી અનેક જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે તેમજ અનેક કષ્ટોમાંથી મુક્તિ મળે છે. ધન ક્યારેય ઘટતું નથી અને જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તેથી, આ દિવસે મોટા ભાગના ભક્તો ઉપવાસ કરે છે. ત્યારે આ વખતે મે મહિનામાં એકાદશી ક્યારે છે, જાણો તેનો શુભ સમય અને અહીં પૂજાના નિયમો.

Advertisement

વરૂથિની એકાદશી ક્યારે છે
વરૂથિની એકાદશીનું વ્રત 4 મે, શનિવારે જ રાખવામાં આવ્યું હતું. તે વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ શુક્રવાર, 3 મેના રોજ રાત્રે 11.24 કલાકે શરૂ થઈ હતી અને 4 મેના રોજ રાત્રે 8.38 કલાકે સમાપ્ત થઈ હતી. આ દિવસે ભક્તોએ આ વ્રત રાખ્યું હતું.

મોહિની એકાદશી ક્યારે છે
મોહિની એકાદશી 18 મેના રોજ ઉજવવામાં આવશે, જે સવારે 11.23 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 19 મેના રોજ બપોરે 1.50 વાગ્યે પૂર્ણ થશે. પંચાંગ અનુસાર મોહિની એકાદશીનું વ્રત 19 મેના રોજ રાખવામાં આવશે.

Advertisement

એકાદશીની પૂજા કરવાના નિયમો શું છે?

સવારે વહેલા ઉઠો અને સૌથી પહેલા સ્નાન કરો.
ઘર અને મંદિરને સારી રીતે સાફ કરો.
ભગવાન વિષ્ણુ, ભગવાન કૃષ્ણ અને લાડુ ગોપાલજીની મૂર્તિઓને પવિત્ર કરો.
ભગવાનને પીળા વસ્ત્રો પહેરાવો અને પીળા ચંદનનું તિલક કરો.
દેશી ઘીનો દીવો પ્રગટાવો અને ભક્તિભાવથી એકાદશી વ્રત રાખવાની પ્રતિજ્ઞા લો.
હવે 'ઓમ નમો ભગવતે વાસુદેવાય' મંત્રનો 108 વાર જાપ કરો. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ અવશ્ય કરો.
ભગવાન વિષ્ણુને પંચામૃત અને તુલસી દળ અર્પણ કરો. પૂજા પૂર્ણ થયા પછી આરતી કરો.
સાંજના સમયે પણ વિધિ પ્રમાણે ભગવાનની પૂજા કરો.
બીજા દિવસે, દ્વાદશી પર પૂજા કર્યા પછી ઉપવાસ તોડો.
ગરીબો અને બ્રાહ્મણોને ભોજન કરાવો, દાન આપો.

Advertisement

Advertisement
Tags :
Next Article