Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

જાત્રા કરીને પાછી ફરી રહેલી બસ ભડભડ આગથી સળગી ઉઠી: ઉંઘમાં જ 8 થી વધુ મુસાફર ભડથું

10:46 AM May 18, 2024 IST | admin

હરિયાણાના નૂહ નજીક કુંડલી-માનેસર-પલવલ (KMP Expressway Accident) એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. અહીં શ્રદ્ધાળુઓથી ભરેલી ટૂરિસ્ટ બસમાં આગ (nuh bus accident) લાગવાથી 8થી વધુ લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના રાત્રે 2 વાગ્યાની આસપાસ બની હતી. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Advertisement

નૂહ ધારાસભ્યનું નિવેદન બહાર આવ્યું

નૂહના ધારાસભ્ય આફતાબ અહેમદે કહ્યું, 'આ ખૂબ જ દર્દનાક, દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના છે. વૃંદાવનથી શ્રદ્ધાળુઓ પરત ફરી રહ્યા હતા. બસમાં આગ (Nuh Bus Accident) લાગી હતી અને વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત અનેક લોકો ઘાયલ થયા છે..

બસમાં 60 થી વધુ લોકો હાજર હતા

પ્રાપ્ત માહિતી અનુસાર, બસમાં 60થી વધુ લોકો હાજર હતા. ઘાયલોની સારવાર ચાલુ છે. મૃત્યુઆંક વધી શકે છે. તેમજ હજુ બસમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.આ ઘટનાની જાણ પોલીસને થતાં જ તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે (KMP Expressway Accident) પહોંચી ગયા હતા અને ફાયર બ્રિગેડને પણ બોલાવવામાં આવી હતી. જોકે, ફાયર ફાયટરને આગ ઓલવવામાં ઘણી મુશ્કેલી પડી હતી. બસના કાચ તોડીને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે.

Advertisement

બસમાં આગ લાગતાની સાથે જ હોબાળો મચી ગયો

બસમાં સવાર મુસાફરો મથુરાથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બસમાં હાજર લોકો એકબીજાને ઓળખતા હતા અને બસ ભાડે લેવામાં આવી હતી. બસમાં આગ લાગતાની સાથે જ હોબાળો મચી ગયો હતો. જે બાદ ગામલોકોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો પરંતુ જ્યારે તેઓ સફળ ન થયા તો તેઓએ બારીના કાચ તોડી લોકોને બસમાંથી બહાર કાઢ્યા.જો કે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને આગનું કારણ જાણવામાં આવી રહ્યું છે.

સ્થાનિક લોકોએ પીછો કરીને બસને રોકી હતી

શુક્રવારે રાત્રે લગભગ 1:30 વાગ્યે નુહમાં એક ચાલતી બસમાં આગની જ્વાળાઓ જોવા મળી હતી, જેનાથી સ્થાનિક લોકો ચોંકી ઉઠ્યા હતા. લોકોએ બૂમો પાડીને ડ્રાઈવરને બસ રોકવા કહ્યું, પરંતુ તેમ છતાં બસ ઉભી ન હતી. આ પછી, એક વ્યક્તિ તેની બાઇક પર બસની પાછળ ગયો અને ડ્રાઇવરને આગ વિશે જાણ કરી. બસ ઉભી રહી ત્યાં સુધીમાં આગ ખૂબ ફેલાઈ ગઈ હતી.

Advertisement

બસ મથુરા અને વૃંદાવનથી પરત ફરી રહી હતી

આ પ્રવાસી બસમાં પંજાબ અને ચંદીગઢના 60 શ્રદ્ધાળુઓ સવાર હતા, જેઓ મથુરા અને વૃંદાવનની મુલાકાત લઈને પરત ફરી રહ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગના કારણે 8 લોકો જીવતા દાઝી ગયા હતા અને 24 લોકો દાઝી ગયા હતા. પોલીસે ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કર્યા.

જુઓ અકસ્માતનો વીડિયો

નૂહ બસ અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. આગ આખી બસમાં ઝડપથી ફેલાઈ ગઈ, જેના કારણે લોકોને વાહનમાંથી બહાર નીકળવાની તક મળી ન હતી. ઘટના સ્થળે આસપાસ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ગ્રામજનોએ પહેલા જાતે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો.

Advertisement
Tags :
Next Article