For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં 'કાંકરિયા કાર્નિવલ 2023' નો પ્રારંભ -25 થી 31 ડિસેમ્બર સુધી યોજાશે કાંકરિયા કાર્નિવલ

12:09 PM Dec 26, 2023 IST | V D
અમદાવાદમાં  કાંકરિયા કાર્નિવલ 2023  નો પ્રારંભ  25 થી 31 ડિસેમ્બર સુધી યોજાશે કાંકરિયા કાર્નિવલ

Vibrant Kankaria Carnivalમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના કાંકરિયા ખાતેથી વાઈબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ-2023( Vibrant Kankaria Carnival )નો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે AMC અને ઔડાના આશરે ₹216 કરોડના કુલ 27 વિકાસના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું હતું. આ ઉપ્રાંત તેમાં સમાવિષ્ટ ઔડાના ₹60.79 કરોડના ખર્ચે સરદાર પટેલ રિંગ રોડ પર રણાસણ જંક્શન પરના ફ્લાય ઓવરબ્રિજ તથા રેલ્વે ઓવરબ્રિજનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું.આ પ્રંસગે વાઈબ્રન્ટ પ્રસંગે શહેરના મેયર પ્રતિભાબેન જૈન પણ ઉપસ્થિત રહ્યાં હતાં.અને મુખ્યમંત્રી ના હસ્તે આ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી રીડેવલપમેન્ટ અને પબ્લિક હાઉસિંગ પોલિસી અંતર્ગત 141 આવાસો અને 14 દુકાનોનો ડ્રો કરવામાં આવ્યો હતો તથા 2 લાભાર્થીઓને પ્રતિકાત્મક સ્વરૂપે આવાસની ચાવી અર્પણ કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે અમદાવાદ એઇડ્સ કન્ટ્રોલ સોસાયટીની 'HIVની સાથે કેવી રીતે જીવીએ' નામની પુસ્તિકાનું વિમોચન મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. સૌ ઉપસ્થિતોને સ્વચ્છતા અંગે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા તથા AMCના અમદાવાદ સ્વચ્છતા માસ્કોટનું લોન્ચિંગ પણ મુખ્યમંત્રીના હસ્તે આ પ્રસંગે કરવામાં આવ્યું હતું.

Advertisement

25મી ડિસેમ્બરને 'સુશાસન દિવસ' એટલે કે 'ગુડ ગવર્નન્સ ડે' તરીકે ઉજવાય
કાંકરિયા કાર્નિવલના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મતિથિ નિમિત્તે સૌને સુશાસન દિવસની શુભકામના પાઠવીને જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2014થી આપણે 25મી ડિસેમ્બરના દિવસને 'સુશાસન દિવસ' એટલે કે 'ગુડ ગવર્નન્સ ડે' તરીકે ઊજવીએ છીએ.ગુડ ગવર્નન્સ એટલે સામાન્ય માનવીને સુખ, સુવિધા, સગવડ અને સુખાકારી આપતું શાસન. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, શહેરીવિકાસ સહિત શહેરીજનો માટે મનોરંજન અને જનસુખાકારી વધે તેવા અનેકવિધ વિકાસ પ્રકલ્પો થકી વિકાસની પરિભાષા ખરાં અર્થમાં સાર્થક થઈ રહી છે. એટલે જ આજે આપણાં શહેરો હેપ્પીનેસ ઇન્ડેક્સમાં આગળ આવી રહ્યા છે અને દેશમાં સ્માર્ટ અને સસ્ટેનેબલ શહેરો સતત વિકસી રહ્યા છે.આગળ જણાવતા કહ્યું હતું કે,વર્લ્ડ હેરિટેજ સિટીનો આ ફેસ્ટિવલ વર્લ્ડ ફેમસ બન્યો છે. જાણીતા સાંસ્કૃતિક કલાકારો દ્વારા પીરસાતા મનોરંજનની સાથે સાથે આ ઉત્સવ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને તેમની પ્રતિભા બતાવવાનું મંચ પણ બન્યો છે.

Advertisement

14મા સંસ્કરણની થીમ 'વસુધૈવ કુટુમ્બકમ'
આ વર્ષે કાંકરિયા કાર્નિવલના 14મા સંસ્કરણની થીમ 'વસુધૈવ કુટુમ્બકમ' છે. વડાપ્રધાનના માર્ગદર્શનમાં આ વર્ષે આપણે G20 સમિટની યજમાની કરી.ત્યારે અમદાવાદે G20 અંતર્ગત અર્બન સમિટ U20ની યજમાની કરીને 'વસુધૈવ કુટુમ્બકમ'ની ભાવનાનો પરિચય સુપેરે અપાયો હતો. આજે આ કાર્નિવલ પણ નૃત્ય, સંગીત, કલા અને મોર્ડન ટેકનોલોજીના માધ્યમથી સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એવી ઉમદા ભાવનાને ચરિતાર્થ કરવા જઈ રહ્યો છે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

Advertisement

મુખ્યમંત્રીએ કાંકરિયા તળાવના વિકાસનો ચિતાર આપતા જણાવ્યું કે, પહેલા કાંકરિયા બાલવાટિકા, નગીનાવાડી, માછલીઘર માટે જ જાણીતું હતું. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કાંકરિયા તળાવની કાયાપલટ કરી શહેરનું આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું. વર્ષ 2006માં રૂ. 36 કરોડના ખર્ચે નિર્માણ પામેલું કાંકરિયા લેક ફ્રન્ટ ગુડ ગવર્નન્સ અને શહેરીકરણ સાથે વિકાસનું ઉત્તમ ઉદાહરણ છે.

મેયર પ્રતિભાબેન જૈને નાતાલની શુભકામના પાઠવી
શહેરના મેયર પ્રતિભાબેન જૈને સ્વાગત પ્રવચન કરતાં સૌને સુશાસન દિવસ અને નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, અમદાવાદ 600થી વધુ વર્ષોનો ભાતીગળ ઇતિહાસ ધરાવતું શહેર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તા.25 થી તા.31 ડિસેમ્બર સુધી ચાલનારા આ 'વાઈબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ 2023'માં દરરોજ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે, જેમાં વિવિધ લોક કલાકારો ઉપસ્થિત રહી મનોરંજન પૂરું પાડશે. આ ઉપરાંત, અહીં બાળકોના મનોરંજન માટે બાળ નગરી અને લાઈવ કેરેક્ટર્સની પણ સુવિધા ઉપલબ્ધ છે. વધુમાં, આ કાર્નિવલ અંતર્ગત હસ્તકળા મેળો પણ યોજાશે. દરરોજ રાત્રે 'વિકસિત ભારત સંકલ્પ થીમ' આધારિત લેસર શો પણ યોજાનાર છે.આ પ્રસંગે કાંકરિયા કાર્નિવલના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદના ધારાસભ્યશ્રીઓ, ડેપ્યૂટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટે. ચેરમેન દેવાંગભાઈ દાણી, મ્યુનિ. કમિશનર એમ.થેન્નારસન તથા મ્યુનિ.ના પદાધિકારીશ્રીઓ અને અધિકારીઓ, કોર્પોરેટરઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Tags :
Advertisement
Advertisement