For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

કાળમુખા અકસ્માતે બે પરિવારને ઉજાડ્યા: જસદણમાં કારની ટક્કરે મામા અને તેની બે માસૂમ ભાણેજનાં કમકમાટીભર્યાં મોત, પરિવારમાં છવાયો માતમ

12:49 PM Mar 13, 2024 IST | V D
કાળમુખા અકસ્માતે બે પરિવારને ઉજાડ્યા  જસદણમાં કારની ટક્કરે મામા અને તેની બે માસૂમ ભાણેજનાં કમકમાટીભર્યાં મોત  પરિવારમાં છવાયો માતમ

Rajkot Accident: ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. જસદણમાં ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત(Rajkot Accident) થયા છે. જસદણ પાસે આવેલ બાખલવડમાં ફૂલ સ્પીડ આવતી કારે બાઈકને હડફેટે લીધું હતું. અકસ્માતમાં મામા અને બે ભાણેજના ઘટના સ્થળે મોત થયા છે. ત્યારે અન્ય એક ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોના નામ અજય સદાદિયા, કિંજલ ઓળકીયા અને માહી ઓળકીયા હોવાની માહિતી મળી છે.

Advertisement

મામા અને ત્રણેય ભાણેજ ફંગોળાઈને રોડ પર પટકાયા હતાં
આ ગોજારી દુર્ઘટનાની પોલીસમાંથી મળતી માહિતી મુજબ, જસદણનાં દેવપરા ગામે રહેતા અને ખેતી કામ કરતાં અજય વલ્લભભાઈ સદાદિયા નામનોયુવાન ગઈકાલે રાત્રે પોતાની ત્રણ સગી ભાણેજ માહી રણછોડભાઈ ઓળકિયા, કિંજલ રણછોડભાઈ ઓળકિયા પૂનમ રણછોડભાઈ ઓળકિયાને પોતાના બાઈકમાં બેસાડી જસદણ બેનના ઘરે મુકવા જવા નીકળ્યો હતો. આ દરમિયાન જસદણના બાખલવડ ગામે પૂરઝડપે આવતી મારૂતિ કારચાલકે બાઈકને ઠોકર મારી હતી. જેમાં મામા અને ત્રણેય ભાણેજ ફંગોળાઈને રોડ પર પટકાયા હતાં. ચાર વર્ષની ભાણેજ માહીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલ મામા અજય કોળીએ રાત્રીનાં 10 વાગ્યે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. ભાણેજ કિંજલ રણછોડભાઈ ઓળકીયાએ વહેલી સવારે ચાર વાગ્યે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

Advertisement

પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
જસદણ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. તેમજ મૃતદેહને PM માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાય છે. જસદણના બાખલવડ ગામ નજીક અકસ્માત મામલે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રાત્રે અકસ્માત સર્જાતા બેના મોત થયા હતા. જેમાં ચાર વર્ષની બાળકી અને 27 વર્ષે પુરુષનું મોત થયું હતું. તેમજ આજે વધુ એક આઠ વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થયુ છે.

Advertisement

પીએમ માટે મૃતદેહને રાજકોટ ખસેડાયા
ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી ગઈ હતી અને મૃતકોના મૃતદેહોને પીએમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. પીએમ બાદ ત્રણેયના મૃતદેહ પરિવારને સોંપાશે. હાલ પોલીસે કારચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. એક સાથે બે ભાણેજ અને મામાના મોતથી પરિવારજનોમાં ઘેરો શોક ફેલાઈ ગયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement