For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

જે.પી. નડ્ડા, ગોવિંદ ધોળકિયા સહિત ભાજપના રાજ્યસભાના ચારેય ઉમેદવારોએ ઢોલ-નગારાના તાલે વિજય મુહૂર્તમાં ભર્યા ફોર્મ

02:22 PM Feb 15, 2024 IST | V D
જે પી  નડ્ડા  ગોવિંદ ધોળકિયા સહિત ભાજપના રાજ્યસભાના ચારેય ઉમેદવારોએ ઢોલ નગારાના તાલે વિજય મુહૂર્તમાં ભર્યા ફોર્મ

Gujarat Rajya Sabha Election 2024: આગામી 27 ફેબ્રુઆરીએ રાજ્યસભાની ચૂંટણી યોજાશે.ત્યારે ભાજપે પોતાના ચાર ઉમેદવારો(Gujarat Rajya Sabha Election 2024) જાહેર કરી દીધા છે.જેમાં જે.પી. નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી દીધી છે. જોકે, ઉમેદવારી પત્ર ભરે એ પહેલા વિધાનસભા ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોનો જમાવડો જામ્યો હતો. ઢોલ-નગારાના તાલે ચારેય ઉમેદવારો ઉમેદવારી નોંધાવી હતા. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ આ પ્રસંગે રાજ્યસભાના ચાર ઉમેદવારો પણ વિધાનસભા સંકુલ આવી પહોંચ્યા હતા.જે.પી.નડ્ડા, મયંક નાયક, ગોવિંદ ભાઇ ધોળકિયા તથા જશવંતસિંહ પરમારે 12 વાગ્યાને 39 મિનીટનાં વિજય મુહૂર્તમાં પોતાના ફોર્મ ભર્યા હતા.

Advertisement

જે.પી.નડ્ડા સાથે અન્ય 3 ઉમેદવાર પણ દાવેદારી નોંધાવી
આજે ભાજપના ચાર ઉમેદવારો રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી માટે ફોર્મ ભર્યું છે.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અમદાવાદ પહોંચ્યા હતા. જ્યાં સી.આર.પાટીલ અને મુખ્યમંત્રીએ તેમનું સ્વાગત કર્યું હતું. જે.પી.નડ્ડા સિવાય હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકીયા , ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખ મયંક નાયક,ડૉ.જશવંતસિંહ પરમાર ઉમેદવારી પત્રક ભર્યું.. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા સચિવાલયના ગેટ નંબર 7થી વિધાનસભા સુધી રેલી સ્વરૂપે પહોંચ્યાં હતા. 4 હજાર જેટલા કાર્યકરો અને આગેવાનો રેલીમાં જોડાયા હતા.આ સાથે જે.પી.નડ્ડા સાથે અન્ય 3 ઉમેદવાર પણ દાવેદારી નોંધાવી.

Advertisement

જે.પી.નડ્ડાનું સંબોધન
લોકોને સંબોધતા નડ્ડાએ કહ્યું હતું કે, ગુજરાત સાથે જોડાવવાનુ મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ગુજરાતથી રાજ્યસભામાં જવુ તે સૌભાગ્યની વાત છે. મને ગુજરાતથી ઉમેદવારી કરવાનો મોકો આપવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર માનું છું.અમારો ટાર્ગેટ છે કે અમે NDAને 400ને પાર કરી દઈશું અને અમે 370થી વધુ બીજેપીના ઉમેદવારોને જીતાડીશું. હું તમને બધાને ખાતરી આપું છું કે, એક આદર્શ સાંસદ તરીકે મને જે પણ કામ સોંપવામાં આવશે તે હું સારી રીતે નિભાવીશ અને એક કાર્યકર તરીકે તમારી સાથે મારી જાતને જોડીશ. આપણે બધા વડાપ્રધાન મોદીના વિકસિત ભારતના સંકલ્પને હાંસલ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. એક સાંસદ તરીકે હું ભાગ્યશાળી છું કે હું ગુજરાતમાંથી આ કાર્યને આગળ ધપાવી રહ્યો છું.

Advertisement

દેશની 56 બેઠક પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે, 27 ફેબ્રુઆરીએ વોટિંગ
ચૂંટણી પંચે 29 જાન્યુઆરીએ દેશની 56 રાજ્યસભા બેઠકો પર ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. જેમાં 27 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને તે જ દિવસે પરિણામ જાહેર થશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. ઉમેદવારી પત્રોની ચકાસણી તારીખ 16 ફેબ્રુઆરી છે. ઉમેદવાર 20 ફેબ્રુઆરી સુધી નામ પરત લઈ શકશે.

Advertisement

Tags :
Advertisement
Advertisement