For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

વચગાળાનાં બજેટ રજૂઆતની શેરબજાર પર માઠી અસર- તેજીની આશામાં 35 હજાર કરોડ હોમાયા, જાણો વિગતે

05:42 PM Feb 01, 2024 IST | V D
વચગાળાનાં બજેટ રજૂઆતની શેરબજાર પર માઠી અસર  તેજીની આશામાં 35 હજાર કરોડ હોમાયા  જાણો વિગતે

Stock Market: વચગાળાના બજેટની રજૂઆત બાદ ગુરુવારે સ્થાનિક શેરબજારોમાં(Stock market) બપોરના વેપારમાં ભારે વધઘટ જોવા મળી હતી. બીએસઈનો 30 શેરો વાળા સેસપેકન્સ ઈન્ડેક્સ સેન્સેક્સ બપોરના કારોબારમાં 139.37 પોઈન્ટ ઘટીને 71,612.74 પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 33.15 પોઈન્ટ ઘટીને 21,692.55 પર પહોંચ્યો હતો.તેજીની આશામાં રોકાણકારોનાં 35 હજાર કરોડ ડૂબી ગયાં.

Advertisement

કોને વધુ નુકસાન થશે?
અત્યંત અસ્થિર ટ્રેડિંગમાં, બંને સૂચકાંકોએ ટૂંકા સમયમાં પુનરાગમન કર્યું.સેન્સેક્સ 91.52 પોઈન્ટ વધીને 71,843.63 પોઈન્ટ અને નિફ્ટી 17.95 પોઈન્ટ વધીને 21,743.65 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સ કંપનીઓમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, લાર્સન એન્ડ ટુબ્રો, વિપ્રો અને બજાજ ફાઇનાન્સના શેરમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. મારુતિ, પાવર ગ્રીડ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના શેરમાં તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરતાં કહ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં મોટા સકારાત્મક ફેરફારો જોવા મળ્યા છે.

Advertisement

માર્કેટ કન્ફ્યૂઝ
સેક્ટરલ ફ્રંડની વાત કરીએ તો આજે સેક્ટરમાં કન્ફ્યૂઝ માહોલ જોવા મળ્યો. બેંક, ઓટો, FMCG, પાવર સેક્ટર 0.3% થી 0.8%નાં વધારા સાથે બંધ થયાં જ્યારે કેપિટલ ગુડ્સ, મેટલ અને રિયલ્ટી ઈંડેક્સમાં આશરે 1% નો ઘટાડો જોવા મળ્યો.

Advertisement

નાણામંત્રીએ શું કહ્યું?
આ સિવાય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે વિશ્વના વિવિધ ભાગોમાં યુદ્ધ અને સંઘર્ષને કારણે વૈશ્વિક સ્થિતિ વધુ જટિલ અને પડકારજનક બની રહી છે. રશિયા-યુક્રેન સંઘર્ષ અને ઇઝરાયેલ-હમાસ યુદ્ધે વૈશ્વિક સપ્લાય ચેઇનને વિક્ષેપિત કરી છે, જેનાથી વેપાર પર અસર પડી છે. નાણામંત્રીએ કહ્યું કે એક નવી વૈશ્વિક વ્યવસ્થા ઉભરી રહી છે અને ભારતે બળતણ અને ખાતરની વધતી કિંમતોના વૈશ્વિક પડકારોનો સફળતાપૂર્વક સામનો કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે દેશમાં નાણાકીય ક્ષેત્રને મજબૂત કરવાથી બચત, લોન અને રોકાણને વધુ અર્થપૂર્ણ બનાવવામાં મદદ મળી છે. નાણામંત્રીએ કહ્યું કે રેકોર્ડ સમયમાં તમામ પ્રકારની ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવી રહી છે. સરકારે નાગરિક-પ્રથમ અભિગમ સાથે પારદર્શક, જવાબદાર, વિશ્વાસ આધારિત શાસન પણ પ્રદાન કર્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement