For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

હજારો મુસાફરોથી ભરેલી ટ્રેન પુલ પર બંધ પડી જતાં ડ્રાયવરે જીવ જોખમમાં મૂકી કર્યું સમારકામ

02:39 PM Jun 22, 2024 IST | Drashti Parmar
હજારો મુસાફરોથી ભરેલી ટ્રેન પુલ પર બંધ પડી જતાં ડ્રાયવરે જીવ જોખમમાં મૂકી કર્યું સમારકામ

Loco Pilot Viral video: સોશિયલ મીડિયા પર જોખમ ભર્યા, સાહસિક, ફની અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે વધુ એક જોખમ ભર્યો પણ સાહસિક  વિડીયો સામે આવ્યો છે. જેમાં એક ટ્રેન પુલ પરના વચ્ચો વચ્ચ બંધ પડી છે, અને ટ્રેનનો ડ્રાયવર તેમજ લોકો પાઈલટ(Loco Pilot Viral video) પોતાનો જીવ જોખમમાં મૂકીને ટ્રેનને રીપેર કરે છે. તો ચાલો જાણીએ કે મુસાફરો ભરેલી આ ટ્રેન પુલ વચ્ચે કે અટકી પડી અને કેમ ડ્રાયવરે પોતાનો જીવ જોખમમાં મુકવો પડ્યો.

Advertisement

તમને જણાવી દઈએ કે બિહારના સમસ્તીપુરમાં પ્રેશર લીકેજને કારણે ટ્રેન મધ્ય પુલ પર રોકાઈ ગઈ હતી. આ પછી લોકો પાયલોટે પોતાનો જીવ જોખમમાં મૂકીને સમસ્યાનો ઉકેલ લાવી દીધો. લોકો પાયલોટે ટ્રેનની નીચે બ્રિજ પર ક્રોલ કર્યું અને એન્જિનના પ્રેશર લીકેજને રિપેર કર્યું, પછી ટ્રેન આગળ વધી. આ બાબતનો વીડિયો સામે આવ્યો છે. ડીઆરએમએ બંને ડ્રાઇવરોને પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે.

Advertisement

સમસ્તીપુર રેલ્વે ડિવિઝનના વાલ્મિકી નગર અને પાનિયાવા સ્ટેશનની વચ્ચે બનેલા બ્રિજ નંબર 382 પરના લોકો એન્જિનના અનલોડર વાલ્વમાંથી અચાનક હવાનું દબાણ લીક થવા લાગ્યું. જેના કારણે વચ્ચેના પુલ પર ટ્રેન રોકાઈ ગઈ હતી. જ્યાં લીકેજ થઈ રહ્યું હતું ત્યાં સુધી પહોંચવા માટે કોઈ રસ્તો ન હતો, તેથી લોકો પાયલટ અને સહાયક લોકો પાઈલટ લીકેજને રીપેર કરવા માટે ટ્રેનની નીચે પુલ પર સરકીને જતા પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો.

Advertisement

ઘણા પ્રયત્નો પછી, એન્જિનના અનલોડર વાલ્વમાંથી હવાના દબાણના લીકેજને રીપેર કરી શકાયું. લોકો પાઇલટનો ટ્રેનની નીચે બ્રિજ પર ક્રોલ કરવાનો અને બહાર આવવાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ પછી ટ્રેન આગળ વધી શકશે. ડ્રાઈવરોના આ સાહસિકતા જોઈને સમસ્તીપુર રેલવે ડિવિઝનના ડીઆરએમ વિનય શ્રીવાસ્તવે બંને ડ્રાઈવરોને 10,000 રૂપિયાનું ઈનામ અને પ્રશસ્તિપત્ર આપવાની જાહેરાત કરી છે.

તમને જણાવી દઈએ કે જ્યારે ટ્રેન નંબર 05497 અપ નરકટિયાગંજ ગોરખપુર વાલ્મિકી નગર અને પાનિયાવા વચ્ચેના બ્રિજ નંબર 382 પર પહોંચી ત્યારે એન્જિન (લોકો)ના અનલોડર વાલ્વમાંથી અચાનક હવાનું દબાણ લીકેજ થવા લાગ્યું. જેના કારણે એમઆરનું પ્રેશર ઘટી ગયું અને વચ્ચેના પુલ પર ટ્રેન ઉભી રહી ગઈ. બ્રિજ પર ટ્રેન રોકાયા બાદ તેને રિપેર કરવી ખૂબ જ મુશ્કેલ હતું.  લોકો પાયલોટ અજય કુમાર યાદવ અને સહાયક લોકો પાયલટ નરકટિયાગંજ રણજીત કુમાર બ્રિજ પર લટકીને અને ક્રોલ કરીને એન્જિનમાંથી લીકેજની જગ્યાએ પહોંચ્યા. આ પછી, તેઓ લીકેજને રોકવામાં સફળ થયા અને પછી ટ્રેન તેના ગંતવ્ય સ્ટેશન તરફ આગળ વધી હતી.

Advertisement

Tags :
Advertisement
Advertisement