Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

ગાઝીપુરમાં બસ પર હાઈ ટેન્શન તાર પડતા બસ પર હાઈ ટેન્શન તાર પડતા- 10થી વધુ જાનૈયા જીવતાં ભડથું, જુઓ વિડીયો

04:59 PM Mar 11, 2024 IST | V D

Uttar Pradesh Accident: યુપીના ગાઝીપુરમાં એક મોટો અકસ્માત થયો છે. હાઇ ટેન્શન વાયર બસ પર પડતાં આગ ફાટી નીકળી હતી. જેના કારણે ઘણા જીવતા લોકો બળીને ભડથું થઈ ગયા છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 10થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. કરંટના કારણે લોકોને બહાર નીકળવામાં મુશ્કેલી પડી હતી. ત્યારે અધિકારીઓને(Uttar Pradesh Accident) સ્થળ પર મોકલવામાં આવ્યા છે.વીજલાઈન પડતાની સાથે જ બસમાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને મુસાફરો સહિત આખી બસ સળગી ગઈ હતી.

Advertisement

10થી વધુ લોકોના મોત
વારાણસીના ડીઆઈજીના જણાવ્યા અનુસાર, લગ્નના મહેમાનોથી ભરેલી બસ હાઈ ટેન્શન વાયર સાથે અથડાવાને કારણે અકસ્માતનો ભોગ બની હતી. ગાઝીપુરના ડીએમ અને એસપી ઘટનાસ્થળે હાજર થયા હતા.તેમજ ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 10થી વધુ લોકોના મોતના અહેવાલ સામે આવ્યા છે.

સીએમ યોગીએ અકસ્માતમાં મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
સીએમ યોગી આદિત્યનાથે ગાઝીપુરમાં ભયાનક બસ દુર્ઘટનાની નોંધ લઇ તેમણે વહીવટી અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર પહોંચવાનો આદેશ આપ્યો હતો. આ અંગે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. સીએમ યોગીએ કહ્યું છે કે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચે અને ઘાયલોની સારી સારવારની વ્યવસ્થા કરે. રાહત અને બચાવ કાર્ય ઝડપી થવું જોઈએ. સીએમ યોગીએ અકસ્માતમાં મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

Advertisement

બસમાં સવાર હતા 30 જાનૈયા
એવું કહેવાય છે કે મૌના ખીરિયા કાઝાના લગ્ન માટે ગાજીપુરના મરદહ સ્થિત મહાહર મંદિરમાં લગ્નની જાન જઈ રહી હતી. બસ બાંધકામ હેઠળના પાકા રસ્તા પરથી મંદિર જવા રવાના થઈ. આ દરમિયાન બસ ઉપરથી જઈ રહેલા 11 હજાર વોલ્ટના હાઈ ટેન્શન વાયરની અડફેટે આવી ગઈ હતી. બસ સાથે વાયરો જોડતાની સાથે જ તેજ તણખા નીકળવા લાગ્યા. અંદરના લોકો ચીસો પાડવા લાગ્યા. કેટલાક લોકો કૂદી પડ્યા અને કેટલાક તેમાં ફસાઈ ગયા. આસપાસના લોકો કંઈ કરે તે પહેલા બસમાં આગ લાગી ગઈ હતી. ગ્રામજનોએ તાત્કાલિક અધિકારીઓને જાણ કરી હતી.હાઈ ટેન્શનને વાયરને કારણે બસમાં આગ લાગી ત્યારે તેમાં 30થી વધુ જાનૈયાઓ હતા, જેમાંના ઘણાના મોત થયાં હોવાનું જણાવાઈ રહ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Next Article