For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ગુરુવારના દિવસે ભૂલથી પણ નહિ કરતા આ ભૂલ- નહિતર ક્રોધિત થઇ જશે ભગવાન વિષ્ણુ

07:11 AM Nov 16, 2023 IST | Dhruvi Patel
ગુરુવારના દિવસે ભૂલથી પણ નહિ કરતા આ ભૂલ  નહિતર ક્રોધિત થઇ જશે ભગવાન વિષ્ણુ

Worship of Lord Vishnu on Thursday: હિન્દુ ધર્મમાં, અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે. જેમ સોમવાર ભગવાન શિવને સમર્પિત છે, મંગળવાર હનુમાનજીની પૂજા છે અને બુધવાર ગણેશજીની પૂજાનો નિયમ છે. તેવી જ રીતે ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા(Worship of Lord Vishnu on Thursday) કરવામાં આવે છે.

Advertisement

આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરીને અને વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન(Worship of Lord Vishnu on Thursday) થાય છે અને ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. શ્રી હરિની કૃપાથી તેમના ભક્તોની મુશ્કેલીઓ દૂર થાય છે. એવું કહેવાય છે કે, સાચા હૃદયથી ભગવાનની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને સાથે જ દુ:ખ અને પ્રતિકૂળતા હંમેશા માટે દૂર થઈ જાય છે. જો તમે પહેલીવાર ભગવાન વિષ્ણુનું વ્રત રાખવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને જણાવી દઈએ કે, વ્રતના કેટલાક નિયમો છે, જેનું પાલન કરવું જરૂરી છે.

Advertisement

Worship of Lord Vishnu on Thursday

ગ્રંથોમાં ઉલ્લેખ છે કે, વ્રતના દિવસે જો નિયમોનું પાલન ન કરવામાં આવે તો ભગવાન વિષ્ણુ પણ ક્રોધિત થાય છે. તેથી આ વાતોનું હંમેશા ધ્યાન રાખો. તમને જણાવી દઈએ કે, ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પ્રિય છે. તેથી આ દિવસે પીળા રંગના કપડા પહેરો. તો આવો જોઈએ ભગવાન વિષ્ણુની પૂજા(Worship of Lord Vishnu on Thursday) કરતી વખતે કઈ ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

Advertisement

ગુરુવારે ઉપવાસ કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખો.

આ દિવસે ઉપવાસ શરૂ કરો.
જો તમે પહેલીવાર ગુરુવારે વ્રત કરવા જઈ રહ્યા છો તો પોષ મહિનાથી ગુરુવારે ઉપવાસ શરૂ કરો. જો ગુરુવારે પુષ્ય નક્ષત્ર હોય તો આ દિવસે વ્રત શરૂ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એટલું જ નહીં, કોઈપણ મહિનાના શુક્લ પક્ષના પ્રથમ ગુરુવારથી ઉપવાસ શરૂ કરી શકાય છે. તારીખ 16ને ગુરૂવાર સુધી રાખવાનું રહેશે.

કેળાનું સેવન પ્રતિબંધિત છે.
જો તમે ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરો છો તો તે દિવસે કેળાનું સેવન કરવાનું ટાળવું જોઈએ. હિંદુ ધર્મ અનુસાર કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. તેથી ગુરુવારે કેળાના ઝાડને જળ અર્પણ કરો.

Advertisement

પીળી વસ્તુઓનું દાન કરો.
એવું માનવામાં આવે છે કે ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી ભગવાનને ગોળ, પીળા કપડા, ચણાની દાળ અર્પણ કર્યા પછી ગરીબોને દાન કરો. કહેવાય છે કે તેનાથી ભગવાન વિષ્ણુની કૃપા બની રહે છે. અને તેમના આશીર્વાદ મળે છે.

ભાત કે ખીચડી ખાવાનું ભૂલશો નહીં.
જો તમે ગુરુવારે ભગવાન વિષ્ણુનું વ્રત કરો છો તો તે દિવસે માત્ર પીળો ખોરાક જ ખાવો. કહેવાય છે કે આનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. આ દિવસે કાળી દાળની ખીચડી અને ભાતનું સેવન ન કરવું જોયે. આ ઉપરાંત આ દિવસે ચોખા ખાવાથી ધનની હાનિ થાય છે. પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને ચોખાની જગ્યાએ તલ અર્પણ કરો.

ગાયને રોટલી ખવડાવો.
ધાર્મિક ગ્રંથો અનુસાર ગાયમાં કરોડો દેવી-દેવતાઓનો વાસ રહેલો છે. તેવું કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ગુરુવારે ગાયને રોટલી અને ગોળ ખવડાવવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે.

વાળ અને નખ બિલકુલ ન કાપો.
કહેવામાં આવે છે કે, ગુરુવારે નખ અને વાળ કાપવાથી કુંડળીમાં હાજર ગુરુ નબળો થઈ જાય છે. સાથે જ તેનાથી ધનનું નુકસાન પણ થાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે મહિલાઓને તેમના વાળ અને કપડા ધોવાની પણ મનાઈ છે કહેવામાં આવે છે કે આમ કરવાથી માન-સન્માનની ખોટ થાય છે.

Tags :
Advertisement
Advertisement