For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

નૈનીતાલમાં કાર 200 મીટર ઊંડી ખીણમાં ખાબકતા સર્જાયો ગોજારો અકસ્માત- 8 લોકોના મોત થતા અરેરાટી

01:55 PM Apr 09, 2024 IST | V D
નૈનીતાલમાં કાર 200 મીટર ઊંડી ખીણમાં ખાબકતા સર્જાયો ગોજારો અકસ્માત  8 લોકોના મોત થતા અરેરાટી

Nainital Accident: ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના બેતાલઘાટ વિકાસ બ્લોકના ઉંચકોટ વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં કુલ 8 લોકોના મોત થયા હતા. બેતાલઘાટ બ્લોકના ઉંચકોટના મલ્લગાંવમાં મોડી રાત્રે નેપાળ મૂળના લગભગ 10 લોકોને ટનકપુર લઈ જતી બોલેરો અચાનક કાબૂ બહાર નીકળી ગઈ અને રસ્તાથી 200 મીટર ઊંડી ખાઈમાં પડી ગઈ. માર્ગ અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે અંધારાના કારણે રેસ્ક્યુમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ કોઈક રીતે તમામ મૃતદેહો અને ઘાયલોને(Nainital Accident) બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલમાં મોત થયું હતું. સમગ્ર ઘટના વિસ્તારમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

Advertisement

ખીણમાં કાર ખાબકી
માહિતી અનુસાર, બેતાલઘાટ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અનીશ અહેમદે જણાવ્યું કે રાજેન્દ્ર કુમાર મોડી રાત્રે ઉંચકોટના મલ્લગાંવથી પોતાની બોલેરોમાં નેપાળ મૂળના 10 લોકોને લઈને ટનકપુર જઈ રહ્યા હતા. આ દરમિયાન બોલેરો બેકાબૂ બનીને 200 મીટર ઉંડી ખીણમાં પડી હતી. માહિતી મળતાં જ બેતાલઘાટ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી હતી, જેમાં ડ્રાઈવર સહિત 8 લોકોના મોતની પુષ્ટિ થઈ હતી. હાલમાં આ જ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

Advertisement

જલ જીવન મિશન હેઠળ ઉંચકોટ આવ્યા હતા
તમામ મૃતકો, નેપાળ મૂળના રહેવાસીઓ, જલ જીવન મિશન હેઠળ ઉંચકોટ આવ્યા હતા, જેમાં આજે તમામ લોકો કામ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. વાહન પડવાનો અવાજ સાંભળી આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ અને પ્રશાસનને પણ અકસ્માત અંગે જાણ કરવામાં આવી હતી. આ પછી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

8 લોકોના મોત થતા અરેરાટી
મૃતકોની ઓળખ 50 વર્ષીય વિશ રામ ચૌધરી, 45 વર્ષીય ધીરજ, 40 વર્ષીય અનંત રામ ચૌધરી, 38 વર્ષીય વિનોદ ચૌધરી, 55 વર્ષીય ઉદય રામ ચૌધરી, 45- તરીકે થઈ છે. જયારે તિલક ચૌધરી અને 60 વર્ષીય ગોપાલ શાંતિ ચૌધરી અને છોટુ ચૌધરી ઘાયલ થયા છે.ત્યારે આ આઠ લોકોના મોતના પગલે સમગ્ર વિસ્તારમાં મોતની ચીસો ગુંજી ઉઠી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement