For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ગુજરાતના પૂર્વ રાજ્યપાલ કમલા બેનીવાલનું અવસાન

06:30 PM May 15, 2024 IST | Chandresh
ગુજરાતના પૂર્વ રાજ્યપાલ કમલા બેનીવાલનું અવસાન

Kamla Beniwal Passes Away: રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી કમલા બેનીવાલનું આજે 97 વર્ષની વયે નિધન થયું છે. રાજધાની જયપુરની ફોર્ટિસ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. કમલા રાજસ્થાનના પ્રથમ મહિલા મંત્રી (Kamla Beniwal Passes Away) હતા. પૂર્વ સીએમ અશોક ગેહલોત સહિત ઘણા નેતાઓએ તેમના નિધન પર પોતાનો શોક વ્યક્ત કર્યો છે.

Advertisement

કમલા બેનીવાલ સાત વખત ધારાસભ્ય અને ગુજરાતના રાજ્યપાલ રહી ચૂક્યા છે. કમલા બેનીવાલની ગણતરી કોંગ્રેસના મોટા નેતાઓમાં થતી હતી. તેઓ પોતાની 11 વર્ષની ઉંમરે બેનીવાલે 'ભારત છોડો' આંદોલનમાં ભાગ લીધો હતો.

Advertisement

Advertisement

મુખ્યમંત્રી ભજનલાલ શર્માથી લઈને પૂર્વ સીએમ અશોક ગેહલોતે કમલા બેનીવાલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સીએમ ભજન લાલે કહ્યું, "ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ અને રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન ડૉ. કમલા બેનીવાલના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. મારી સંવેદના વ્યક્ત કરું છે. હું તેમના પરિવાર સાથે જ છું. હું ભગવાન શ્રી રામને પ્રાર્થના કરીશ કે તેમને પોતાના શરણમાં સ્થાન આપે. અને ભગવાન તેમની આત્માને શાંતિ આપે.

Advertisement
Tags :
Advertisement
Advertisement