Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

નવસારી/ રોંગ સાઇડમાં આવતો ટેમ્પો પિતા-પુત્રી માટે બન્યો કાળ! બાઇકને અડફેટે લેતાં બાપ-દીકરીનું ઘટના સ્થળે જ મોત

06:24 PM Feb 14, 2024 IST | V D

Navasari Accident: વાંસદા-ધરમપુર હાઇવે પર આવેલા જામલીયા ગામના એચ.પી.ગેસના ગોડાઉનની(Navasari Accident) સામે ગઈ કાલે સવારે અંતાપુર ડોલવણથી બાઈક ઉપર પિતા-પુત્રી બરૂમાળ ધરમપુર જઈ રહ્યાં હતા. એ દરમિયાન સામેથી આઇસર ટેમ્પો ચાલકે બાઈકને અડફેટે લેતાં પિતા-પુત્રીને ગંભીર ઈજા પહોંચતા મૃતકપિતા પુત્રીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.આ અકસ્માતને કારણે આખા પરિવારમા શોકનો માહોલ છવાઇ ગયો છે.

Advertisement

પરિવારમાં શોકનો માહોલ
ડોલવણ તાલુકાના અંતાપુર પેલાડ ફળિયાના દીપકભાઈ સુરેશભાઈ ચૌધરી (ઉ.વ. 42) તેમની દીકરી મનીષા ચૌધરી (ઉ.વ.20) સાથે બરૂમાળ ધરમપુરમાં શ્રી અખંડ વિદ્યા આરણ્યક બી. એડ.કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી દીકરીને મૂકવા બાઈક (નં. જીજે-26-બી-3717) ઉપર જઈ રહ્યાં દરમિયાન હતા. તે દરમ્યાન વાંસદા-ધરમપુર હાઇવે પર આવેલા જામલીયા ગામ પાસે એચ.પી. ગેસના ગોડાઉનની સામે સવારે સામેથી ટેમ્પો (નં.જીજે-5-યુયુ-3167 )નો ચાલક આલોક વિનોદભાઈ ગાંવિત (રહે. લીમઝર, પાંચાલ ફળિયા, તા.વાંસદા)એ દીપભાઇની બાઈકને રોંગ સાઈડમાં આવી અડફેટે લીધી હતી. જેને પગલે બાઇક પર સવાર પિતા-પુત્રી રોડ પર પટકાતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર ઇજાને પગલે મનીષા ચૌધરીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે દીપભાઈ ચૌધરીને કોટેજ હોસ્પિટલ લઈ જતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

પોલીસે અસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી કરી
આ વાતની જાણ વાંસદા પોલીસને થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બન્નેના મૃતદેહ હોસ્પિટલ લાવી પી.એમ રૂમમાં મૂક્યા હતા. મૃતકના પુત્ર નિલેશ દીપકભાઈ ચૌધરી (રહે. અંતાપુર)એ ટેમ્પો ચાલક વિરૂદ્ધ વાંસદા પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે અસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પરિવારમાં પુત્ર નિલેશ અને પત્ની આશાબેનને વિલાપ કરતા મૂકી ગયા હતા.

Advertisement

આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી
અકસ્માતમાં વાંસદા પોલીસે તપાસ કરતા આરોપી ચાલક ના કહેવા મુજબ તેનું સ્ટેરીંગ લોક થઈ ગયું હતું જેના કારણે વાહન વાળવું મુશ્કેલ થયું હતું જેને લઇને અકસ્માત થયો હતો જેને આધારે આજે વાંસદા પોલીસ આરટીઓ પરીક્ષણ કરી ખરેખર વાહન નું સ્ટેરીંગ લોક થયું હતું કે કેમ તેની તપાસ હાથ ધરશે હાલ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ વાંસદા સિનિયર પી.એસ.આઇદ્વારા કરવામાં આવી રહી છે.પિતા પુત્રના મોતના પગલે તેનો પરિવાર ઘેરા શોકમાં છવાઈ ગયો છે.

Advertisement
Advertisement
Tags :
Next Article