For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

શંભુ બોર્ડર પર આંદોલનમાં બેઠેલા એક કિસાનનું મોત, મોડી રાત્રે લથડી હતી તબિયત

05:12 PM Feb 16, 2024 IST | V D
શંભુ બોર્ડર પર આંદોલનમાં બેઠેલા એક કિસાનનું મોત  મોડી રાત્રે લથડી હતી તબિયત

Farmers Protest: દિલ્હી કૂચને લઈને ખેડૂતોનો વિરોધ અત્યારે બંધ થઈ ગયો છે કારણ કે હવે તેઓ ચોથી મંત્રણાની રાહ જોઈ રહ્યા છે. ગઈકાલે ચંદીગઢમાં ખેડૂતો અને કેન્દ્રીય મંત્રીઓ(Farmers Protest) વચ્ચેની ત્રીજી રાઉન્ડની વાતચીત પણ ગુરુવારે નિષ્ફળ ગઈ હતી. 5 વાગ્યે નક્કી કરાયેલી બેઠક રાત્રે 8 વાગ્યે શરૂ થઈ હતી અને 1.30 વાગ્યા સુધી ચાલી હતી. આજે માહિતી મળી છે કે અંબાલા શંભુ બોર્ડર પર એક ખેડૂતનું હાર્ટ એટેકથી મોત થયું છે.ખેડૂતોના જણાવ્યા અનુસાર છેલ્લા બે દિવસથી ટીયર ગેસના શેલને કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.

Advertisement

આજે શંભુ બોર્ડર પર પાર્થિવ દેહ લાવવામાં આવશે
તમને જણાવી દઈએ કે જ્ઞાન સિંહ ખેડૂતોના આંદોલનમાં સામેલ થવા માટે અંબાલામાં શંભુ બોર્ડર પર વિરોધ કરી રહ્યા હતા. ગુરુવારે મોડી સાંજે જ્યારે તેને અચાનક તેની છાતીમાં તીવ્ર દુખાવો થયો, ત્યારે તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

Advertisement

ખેડૂતનું મોત હાર્ટ એટેકના કારણે થયું
હોસ્પિટલના એક ડોક્ટરે જણાવ્યું કે ખેડૂતનું મોત હાર્ટ એટેકના કારણે થયું છે. જ્યારે તેને અહીં લાવવામાં આવ્યો ત્યારે તેની હાલત અત્યંત નાજુક હતી. સવારે 6 વાગ્યે તેમનું અવસાન થયું. પટિયાલાના ડેપ્યુટી કમિશનર શૌકત અહેમદ પારેએ પણ ખેડૂતના મોતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે મેડિકલ રેકોર્ડ મુજબ ખેડૂતનું મોત હાર્ટ એટેકના કારણે થયું હતું. જ્ઞાન સિંહ કિસાન મઝદૂર મોરચાના એક જૂથ કિસાન મઝદૂર સંઘર્ષ સમિતિના સભ્ય હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્ઞાન સિંહ અન્ય પાંચ ખેડૂતો સાથે ટ્રોલીમાં સૂતા હતા.

Advertisement

આ લોકો શંભુ બોર્ડર પાસે હાજર હતા, જ્યાં વિરોધ ચાલી રહ્યો છે. જ્ઞાન સિંહના ભત્રીજા જગદીશ સિંહે જણાવ્યું કે, સવારે 3 વાગે તેણે કહ્યું કે તે અસ્વસ્થ છે. જગદીશ સિંહે કહ્યું કે અમે તરત જ શંભુ પોલીસ સ્ટેશન પાસે પાર્ક કરેલી એમ્બ્યુલન્સને બોલાવી અને તેને રાજપુરા સિવિલ હોસ્પિટલ લઈ ગયા.

બહાદુરગઢમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત
બહાદુરગઢમાં સુરક્ષા સઘન કરવામાં આવી છે. સેક્ટર 9 વળાંક પર કોંક્રીટ બેરીકેટની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ બનેલી 100 ફૂટ લાંબી અને 5 ફૂટ પહોળી દિવાલનો વ્યાપ વધારવામાં આવ્યો છે. બપોરે આ મોટા પથ્થરો વચ્ચે કોંક્રીટ નાખવામાં આવશે.

Advertisement

Tags :
Advertisement
Advertisement