For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

અંકલેશ્વરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે ભાથીજી દાદાના મંદિરના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ...

04:34 PM Apr 02, 2024 IST | V D
અંકલેશ્વરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે ભાથીજી દાદાના મંદિરના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

Ankleshwar News: અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં GHB યુવા મંડળ તરફથી શૂરવીર ભાથીજી દાદાના મંદિરના લાભાર્થે પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું શુભારંભ(Ankleshwar News) કરવામાં આવ્યું હતું.ત્યારે આ ટુર્નામેન્ટમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Advertisement

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં જીએચબી યુવા મંડળ દ્વારા પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનો શુભારંભ દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું, આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ભાથીજી દાદાના મંદિરના લાભાર્થે કરવામાં આવ્યું હતું.આ સાથે જ આ આ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર 50થી પણ વધુ ટીમ દ્વારા ભાગ લેવામાં આવશે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટ મહિના સુધી રમાડવામાં આવશે.

Advertisement

આ ક્રિકેટ ટુર્નામેન્ટના આરંભમાં હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ ઉપપ્રમુખ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ અન્ય લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાત હાઉસિંગ બોર્ડના યુવાનો તથા માતા બહેનો આ શુભપ્રસંગે હાજરી આપી હતી,તેમજ આ કાર્યક્રમમાં જે પણ નાણાં ભેગા થશે એ તમામ ભાથીજી દાદાના મંદિર ના લાભાર્થે વાપરવવામાં આવશે.ત્યારે આ અંગે એક અગ્રણીએ જણાવ્યું હતું કે,આ આયોજન લોકોમાં રમત ગમત ક્ષેત્રે જાગૃતિ આવે તે બાદલ કરવામાં આવ્યું છે અને આ આયોજનમાંથી જે પણ કોઈ રૂપિયા ભેગા થશે તેને મંદિરના કામમાં વાપરવવામાં આવશે.

Advertisement

આ આયોજનમાં ટુર્નામેન્ટમાં યુવાનો જોડાયા હતા અને આ ટુર્નામેન્ટનો સમય રાત્રિનો રાખવામાં આવ્યો છે જેથી કરીને લોકો દિવસ દરમિયાનના રોજિંદા કામ પુરા કરી ટુર્નામેન્ટનો આનંદ માણી શકે.

Advertisement
Tags :
Advertisement
Advertisement