For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ઉનાળાની કાળઝાળ ગરમીમાં કોરોના ફરી મચાવી શકે છે તબાહી, ડેલ્ટાના સબ-વેરિઅન્ટ્સ લઈ રહ્યા છે ખતરનાક સ્વરૂપ

02:14 PM May 06, 2022 IST | Sanju
ઉનાળાની કાળઝાળ ગરમીમાં કોરોના ફરી મચાવી શકે છે તબાહી  ડેલ્ટાના સબ વેરિઅન્ટ્સ લઈ રહ્યા છે ખતરનાક સ્વરૂપ

કોરોના વાયરસ(Corona virus)ના પ્રકોપ વચ્ચે ફરી એક ભયાનક સમાચાર સામે આવ્યા છે. આ ઉનાળામાં કોરોના ફરીથી તબાહી મચાવી શકે છે. આ પછી ડેલ્ટા(Delta)ના પેટા વેરિઅન્ટ્સ આવશે જે ખતરનાક વળાંક લઈ રહ્યા છે. તાજેતરનો અભ્યાસ ચિંતામાં વધારો કરે છે કારણ કે ડેલ્ટા એ કોરોનાનું એક પ્રકાર છે જેણે કોરોનાની બીજી ઘાતક લહેર સર્જી હતી.

Advertisement

કોવિડ પર નવીનતમ અભ્યાસ ઇઝરાયેલમાં કરવામાં આવ્યો છે. આ અભ્યાસ ધ ટોટલ એન્વાયરમેન્ટ સાયન્સ મેગેઝીનમાં પ્રકાશિત થયો છે. ડેલ્ટા વેરિઅન્ટ કેટલું ખતરનાક છે તે અભ્યાસમાં દર્શાવેલ એક વાત પરથી સમજી શકાય છે. તે કહે છે કે, ડેલ્ટાએ તેની પહેલા આવેલા તમામ પ્રકારોને ખતમ કરી દીધા હતા. પરંતુ, ડેલ્ટા પછી આવેલ ઓમિક્રોન આ ઘાતક પ્રકારને સંપૂર્ણપણે દૂર કરવામાં સક્ષમ નથી અને તે ફરીથી ઉભરી શકે છે.

Advertisement

આ અભ્યાસ ઈઝરાયેલની બેન-ગુરિયન યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીએ એક એવી વ્યૂહરચના બનાવી હતી જેમાં ગંદા પાણીની મદદથી કોરોના વેરિઅન્ટ વચ્ચેનો તફાવત શોધી શકાય છે. આટલું જ નહીં જો પીસીઆર અથવા રેપિડ ટેસ્ટ પણ નેગેટિવ આવે તો આ વ્યૂહરચના એ જણાવતી હતી કે કોરોનાવાયરસ ક્યાં સક્રિય છે.

Advertisement

સંશોધકોએ આ સંશોધનમાં ડિસેમ્બર 2021થી જાન્યુઆરી 2022 સુધીના ડેટાનો ઉપયોગ કર્યો છે. આ માટે શહેરમાં હાલમાં બિઅર-શેવા નાળાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. અહીં તેમને ઓમિક્રોન અને ડેલ્ટા વેરિઅન્ટ વચ્ચે ચિંતાજનક ક્રિયાપ્રતિક્રિયા જોવા મળી.

સંશોધન પર વાત કરતા યુનિવર્સિટીના પ્રોફેસર એરિયલ કુશમારો કહે છે કે, ‘ઘણી બાબતો સામે આવી છે. પરંતુ અમારું પરીક્ષણ મોડેલ સૂચવે છે કે આ ઉનાળામાં ડેલ્ટા અથવા અન્ય કોઈપણ કોરોના પ્રકારનું મોજું હોઈ શકે છે. પ્રોફેસરે કહ્યું કે, જ્યારે પણ કોઈ નવું વેરિઅન્ટ આવે ત્યારે તે પાછલા વેરિઅન્ટ પર પ્રભુત્વ જમાવે છે અને થોડા સમયમાં તેને ખતમ કરી દે છે. પરંતુ, ડેલ્ટાના કિસ્સામાં આવું બન્યું નથી. પ્રોફેસરે વધુમાં કહ્યું કે, જો આમ જ ચાલુ રહેશે તો ડેલ્ટા ફરી એક નવા મોજા તરીકે ઉભરી આવશે.

Advertisement

ઈઝરાયેલના અહેવાલો વચ્ચે ભારતમાં કરવામાં આવેલા એક અભ્યાસે પણ ભય વધારી દીધો છે. હૈદરાબાદ સ્થિત સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી (CCMB) અને ચંદીગઢ સ્થિત IMTechનું કહેવું છે કે, હવે કોરોના હવામાં પણ ફેલાઈ રહ્યો છે. એટલું જ નહીં, આ અભ્યાસમાં એ વાત પણ સામે આવી છે કે હવા દ્વારા કોરોના સંક્રમણ ફેલાવવાનું જોખમ ઘરની બહારની તુલનામાં ઘરની અંદર વધારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Tags :
Advertisement
Advertisement