Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

યુક્રેન- રશિયા યુદ્ધ વચ્ચે અહિયાં મસ્જિદમાં થયો બોમ્બ બ્લાસ્ટ - 30 લોકોના મોત, 50 થી વધુ ઘાયલ - જુઓ વિડીયો

03:56 PM Mar 04, 2022 IST | Dhruvi Patel

પાકિસ્તાન(Pakistan): એક મસ્જિદ પર આત્મઘાતી હુમલો થયો છે. 30 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. તે જ સમયે 50 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. જિયો ન્યૂઝ અનુસાર, પેશાવરની મસ્જિદમાં નમાજ દરમિયાન બ્લાસ્ટ થયો હતો.

Advertisement

પાકિસ્તાનના પેશાવરમાં એક મોટો અકસ્માત થયો છે અને શુક્રવારે નમાજ દરમિયાન ઈમામ બારગાહ (મસ્જિદ)ની અંદર વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 30 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Advertisement

પેશાવરના સીસીપીઓના જણાવ્યા અનુસાર, કોચા રિસાલદાર સ્થિત ઈમામબાદ ખાતે પોલીસ સુરક્ષા તૈનાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે હુમલાખોરોએ બે પોલીસ રક્ષકોને ગોળી મારી હતી અને ટૂંક સમયમાં જ વિસ્ફોટકો સાથે પરિસરમાં પ્રવેશ કર્યો હતો. તે કદાચ ઇમામબારામાં આત્મઘાતી હુમલો હતો.

મળતી માહિતી મુજબ, આ વિસ્ફોટ કોચા રિસાલદાર વિસ્તારના કિસ્સા ખ્વાની બજારમાં હાજર મસ્જિદમાં થયો હતો. બ્લાસ્ટની માહિતી મળતાં જ રેસ્ક્યુ ટીમ ત્યાં પહોંચી અને ઘાયલ લોકોને લેડી રીડિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. રેસ્ક્યુ ટીમની સાથે આસપાસના લોકોએ પણ ઘાયલોને મદદ કરી હતી. ઘાયલ થયેલા 50માંથી 10ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

Advertisement

હાલમાં પોલીસ અને સુરક્ષા દળોએ આસપાસના વિસ્તારને ખાલી કરાવ્યો છે. ત્યાં તપાસ ચાલુ છે. અત્યાર સુધી કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. મળતી માહિતી મુજબ, પેશાવર પોલીસે જણાવ્યું છે કે, આમાં બે હુમલાખોરો સામેલ હતા. પહેલા બંનેએ મસ્જિદમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. પછી રોકવામાં આવતા પોલીસકર્મીને ગોળી મારી દેવામાં આવી હતી. બ્લાસ્ટ પહેલા થયેલા ફાયરિંગમાં એક પોલીસકર્મીનું મોત થયું હતું જ્યારે અન્ય ઘાયલ થયા હતા.

પીએમ ઈમરાનનું નિવેદન
પેશાવર મસ્જિદમાં થયેલા વિસ્ફોટ પર પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનું નિવેદન પણ આવ્યું છે. તેમણે હુમલાની નિંદા કરી છે. પેશાવરના સીએમ મહેમૂદ ખાને પણ હુમલાની નિંદા કરી છે. તેણે પેશાવરના આઈજીપી પાસેથી આ અંગે વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. આ પહેલા ગુરુવારે પાકિસ્તાનના ક્વેટામાં બ્લાસ્ટ થયો હતો. જેમાં એક પોલીસ અધિકારી સહિત ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે 24 લોકો ઘાયલ થયા હતા. બ્લાસ્ટ પોલીસ વાન પાસે થયો હતો. બાદમાં મળેલી માહિતી મુજબ, વિસ્ફોટમાં બેથી અઢી કિલોગ્રામ વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Advertisement
Tags :
Next Article