For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

આજે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતા જ આચારસંહિતા લાગુ કરવામાં આવશે- જાણો કઈ વસ્તુઓ પર પ્રતિબંધ મુકવામાં આવશે

10:07 AM Mar 16, 2024 IST | Chandresh
આજે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતા જ આચારસંહિતા લાગુ કરવામાં આવશે  જાણો કઈ વસ્તુઓ પર પ્રતિબંધ મુકવામાં આવશે

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીની તારીખ આજે એટલે કે તારીખ 16 માર્ચ 2024ને શનિવારના રોજ જાહેર કરવામાં આવશે.ચૂંટણી પંચ (ECI)એ બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. સામાન્ય ચૂંટણીની સાથે પંચ કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની પણ જાહેરાત કરવામાં આવશે. ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ આદર્શ આચાર સંહિતા (MCC) લાગુ થઈ જશે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમાર આચારસંહિતાના (Lok Sabha Election 2024) અમલની જાહેરાત કરશે. આદર્શ આચાર સંહિતા એટલે પક્ષો અને ઉમેદવારો માટે બનાવવામાં આવેલ માર્ગદર્શિકા.

Advertisement

ચૂંટણીની જાહેરાતથી લઈને પ્રક્રિયા પૂર્ણ થાય એટલે કે પરિણામો જાહેર થાય ત્યાં સુધી આચારસંહિતા અમલમાં રહે છે. બંધારણમાં આદર્શ આચારસંહિતાની કોઈ જોગવાઈ નથી. ભારતની ચૂંટણી પ્રક્રિયામાં આદર્શ આચાર સંહિતાનો પ્રસિદ્ધ ચૂંટણી કમિશનર ટીએન શેષન દ્વારા કડકપણે અમલ કરવામાં આવ્યો હતો. MCC હેઠળ, કેટલાક નિયમો છે જેનું રાજકીય પક્ષો અને ઉમેદવારોએ પાલન કરવું જરૂરી છે. ઉલ્લંઘનના કિસ્સામાં, ચૂંટણી પંચ કડક કાર્યવાહી કરે છે.

Advertisement

Advertisement

આચાર સંહિતા શું છે?
આદર્શ આચાર સંહિતા એ ચૂંટણી પંચ દ્વારા બનાવવામાં આવેલ માર્ગદર્શિકાઓનો સંગ્રહ છે જેથી કરીને મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ યોજી શકાય. આદર્શ આચાર સંહિતા આઠ ભાગોમાં વહેંચાયેલી છે. ચૂંટણી પંચની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, આદર્શ આચાર સંહિતા 'રાજકીય પક્ષો અને ઉમેદવારોના માર્ગદર્શન માટે' છે.

તેમાં સામાન્ય આચાર, સભાઓ અને સરઘસો સંબંધિત માર્ગદર્શિકા છે. ચૂંટણી દરમિયાન શું કરી શકાય તે અંગેના નિયમો પણ છે. MCC પોતે કાયદેસર રીતે અસરકારક નથી પરંતુ ચૂંટણી પંચને લોકપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ તેની સત્તાઓ મળે છે. આદર્શ આચાર સંહિતાનો ભૌગોલિક વિસ્તાર સમગ્ર ચૂંટણી વિસ્તાર છે.

Advertisement

આચારસંહિતાનો અમલ કોણ કરે છે?
આચારસંહિતા લાગુ થતાંની સાથે જ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સરકારી કર્મચારીઓ ચૂંટણી પંચના કર્મચારી બની જાય છે. આચારસંહિતા એ તમામ રાજકીય પક્ષોની સંમતિથી અમલમાં મુકાયેલી સિસ્ટમ છે. આચારસંહિતા રાજકીય પક્ષો, ઉમેદવારો અને મતદારો માટે સામાન્ય આચાર સંબંધિત નિયમો છે. આ સિવાય સભાઓ, રેલી, મતદાન, મતદાન મથકો, નિરીક્ષકો અને મેનિફેસ્ટોને લગતા નિયમો પણ બહાર પાડવામાં આવ્યા છે.

કઈ વસ્તુઓ પર પ્રતિબંધ છે?
આચારસંહિતા અમલમાં આવતાની સાથે જ સરકારને લોકશાહી જાહેરાતો કરવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે.

સરકાર કોઈ નીતિગત નિર્ણય લઈ શકતી નથી કે કોઈ નવી યોજનાઓ બહાર પાડી શકતી નથી.

મંત્રીઓ સરકારી ખર્ચે ચૂંટણી રેલીઓ નહી કાઢી શકે.

મંત્રીઓ તેમના નિવાસસ્થાનથી ઓફિસ જવા માટે માત્ર સરકારી વાહનોનો ઉપયોગ કરી શકશે. તેનો ઉપયોગ ચૂંટણી રેલીઓ અને પ્રવાસો માટે કરી શકાશે નહીં.

મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા અથવા કોઈપણ ધાર્મિક સ્થળનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી ન શકાય.

આચારસંહિતા હેઠળ સરકાર કોઈપણ સરકારી અધિકારી કે કર્મચારીની બદલી કે પોસ્ટ કરી શકતી નથી.

Tags :
Advertisement
Advertisement