Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

અંબાલાલ પટેલે કરી મુશળધાર વરસાદની આગાહી: અગામી બે દિવસ મેઘરાજા બોલાવશે બઘડાટી, સર્જાશે પૂરની સ્થિતિ

04:24 PM Jun 28, 2024 IST | V D

Ambalal Patel Predicted Heavy Rain: ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ક્યાં કેવું હવામાન રહેશે તે અંગેની માહિતી હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી છે. જેમા આજે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ(Ambalal Patel Predicted Heavy Rain) થવાની પણ આગાહી કરવામાં આવી છે. આ આગાહીમાં ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.

Advertisement

1 જૂન થી 27 જૂન સુધીમાં ગુજરાતમાં 52% વરસાદ નોંધાયો
હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. મઘ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્કયુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ છે. આંકડા અનુસાર, 1 જૂન થી 27 જૂન સુધીમાં ગુજરાતમાં 52% વરસાદ નોંધાયો. જે 1 થી 27 જૂનમાં વરસાદ થવો જોઈએ તેના કરતાં 48 ટકા ઓછો વરસાદ છે. આટલા સમયમાં ગુજરાત 90 મિલીમીટર જેટલો વરસાદ થવો જોઈતો હતો.

આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
આવતીકાલે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જામનગર, મોરબી, કચ્છ, આણંદ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ વરસશે. 30 જૂને સુરત, નવસારી, વલસાડ, ભરૂચ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 1 જુલાઈના રોજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

અંબાલાલ પટેલની આગાહી
બીજી તરફ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં 25 જૂનથી ચોમાસાની ગતિ આગળ વધશે. શ્રવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે. આવતીકાલથી પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ થતા સારા સંકેત ગણાય છે.

આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદ એ ચોમાસા આગમનનું સૂચન છે. 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે. રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે. અષાઢ સુદ બીજે આથમતો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે.

Advertisement

Advertisement
Tags :
Next Article