For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

વેઇટ લોસ અને અનિંદ્રાની સમસ્યાની સાથે ચોળાના સેવનથી થાય છે આ ગજબ ફાયદા

06:59 PM Apr 13, 2024 IST | V D
વેઇટ લોસ અને અનિંદ્રાની સમસ્યાની સાથે ચોળાના સેવનથી થાય છે આ ગજબ ફાયદા

Chola Benefits: ચોળા ફોલેટ અથવા વિટામિન બી 9 થી સમૃદ્ધ તમારા શરીરને નવા કોષો, ખાસ કરીને લાલ રક્તકણો પેદાકરવા અને જાળવવામાં મદદ કરે છે. થાઇમીનથી સમૃદ્ધ હોવાથી, તે હૃદયની મહત્વની ક્રિયામાં પણ મદદ કરે છે. ચોળા બ્લડ પ્રેશર ઘટાડવામાં ફાયદો કરે છે કારણ કે તે પોટેશિયમથી સમૃદ્ધ છે જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે અને હ્રદયના સ્વાસ્થ્યને(Chola Benefits) ટકાવી રાખે છે. ચોળામાં ફાઇબરનું પ્રમાણ વધુ છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે સારું છે. ચોળાના વિગતવાર ફાયદાઓ જુઓ.

Advertisement

વજન ઘટાડવવામાં મદદરૂપ
ચોળા નું ગ્લાયસીમિક ઈન્ડેક્સ 38 હોય છે, જે ઓછું ગણાય છે. ગ્લાયસીમિક ઈન્ડેક્સ એટલે, તમારા રોજના ખોરાકમાં રહેલીકાર્બોહાઈડ્રેટ ચુક્ત સામગ્રી તમારા રક્તમાં શર્કરાના સ્તરને કેટલી ઝડપથી વધારે છે તેનું ક્રમાંક હોય છે.0થી 50ની નીચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સધરાવતી સામગ્રીની ગણત્રી ઓછા જી. આઇ. માં થાય છે, 51 થી 69ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી મધ્યમ જી.આઇમાં થાય છે અને 70થી 100ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી ઉચ્ચ જી. આઇ. માં થાય છે. ઉચ્ચ જી. આઇ. ધરાવતી સામગ્રીડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે ઉપયુક્ત નથી ગણાતી.ચોળા જેવી સામગ્રીનું જી. આઇ. ઓછું હોય છે અને તેથી તે તમારા રક્તમાં શર્કરાનાસ્તરને ઝડપથી વધારતું નથી અને શરીરમાં ધીમે-ધીમે શોષાય છે. આવી બધી સામગ્રી વજન ઘટાડવા માટે ઉપયુક્ત ગણાય છે.

Advertisement

ચોળામાં કેલેરીબુ પ્રમાણ પુષ્કળ
ચોળામાં વિટામીન એ પણ સારી એવી માત્રા માં હોય છે. ચોળા ખાવાથી ઘણા બધા રોગો થી બચી શકાય છે. ચોળા નું નિયમિત રીતે ડાયેટ માં સામેલ કરવાથી અવશ્ય વજન ઘટાડી શકાય છે. ચોળામાં રહેલા ફાઈબર અને પ્રોટીન વજન ઘટાડવામાં મદદ કરે છે સાથે જ ચોળામાં કેલેરી ખુબ જ છી હોય છે માટે તેનું સેવન કરવું ફાયદેમંદ સાબિત થઇ શકે છે.

Advertisement

પેટ સબંધી સમસ્યાઓ દૂર થાય છે
ચોળામાં મેટાબોલાઈટસ ફ્લેવોનોઈડ હોય છે. આ તત્વ હૃદય સબંધી સમસ્યાઓનો ઇલાઝ કરવામાં મદદ કરે છે અને સાથે સાથે તેને વધવા પણ દેતું નથી. નિયમિત રીતે ચોળા નું સેવન કરવાથી હૃદય સબંધી બધી સમસ્યાઓ અને બ્લડ પ્રેશર ની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. ચોળામાં રહેલા પોષકતત્વો શરીર ના આતરિક અંગો ની સફાઈ કરવામાં મદદ કરે છે. અને તે સારી રીતે કામ કરી શકે તેમાં પણ મદદ કરે છે. તેમાં રહેલી ફાઈબરની માત્રા પેટ સબંધી સમસ્યાઓમાં અને કબજીયાત માં ફાયદો કરે છે.

ડાયાબીટીશમાં એક ઉત્તમ વિકલ્પ
ડાયાબીટીશના દર્દીઓ ,માટે ચોળા એક ઉત્તમ વિકલ્પ છે. ચોળામાં રહેલા ઔષધીય ગુણો બ્લડ શુગર ને કન્ટ્રોલ માં રાખવાનું કામ કરે છે. ચોળામાં ભળી જાય તેવું ફાઈબર હોય છે જે શુગરને અને ગ્લુકોઝને કન્ટ્રોલ માં રાખી શકે છે. તમે લીલા ચોળા ની ભાજીનો પણ ખાવામાં ઉપયોગ કરી શકો છો.ચોળામાં મેગ્નેશિયમ ની માત્રા ખુબ જ પ્રમાણ માં હોય છે. સાથે સાથે તેમાં ટ્રીપટોફેન નામનું પણ તત્વ હોય છે જે આપણા મગજ ને ખુબ જ કાર્યક્ષમ બનાવે છે. જો તમને અનિદ્રાની પરેશાની છે તો રાતના ભોજન માં ચોળા ને સામેલ કરવા જોઈએ. તેમાં રહેલા ઔષધીય ગુણો તણાવગ્રસ્ત નસોને અરમ આપવામાં મદદ કરે છે.

Advertisement

દૈનિક આહારમાં ચોળાનું સેવન કરવાથી અગણિત ફાયદા થાય છે
એનીમિયા નો રોગ શરીર માં લોહીની ઉણપ ને કારણે થતી હોય છે. અથવા તો શરીરમાં આયરન ની ઉણપ ને કારણે થાય છે.ચોળામાં આયરન ની માત્રા ખુબ જ હોય છે. આયરન શરીર માં રેડ બ્લડ સેલ્સ ને વધારે છે માટે આપણા દૈનિક આહારમાં ચોળાનું સેવન કરવાથી આ સમસ્યા માંથી છુટકારો મેળવી શકો છો.ચોળાનું સેવન કરવાથી પાચનશક્તિ મજબૂત બને છે. 100 ગ્રામ ચોળામાં લગભગ 28% ફાઈબર હોય છે અને આના કારણે જ કબજીયાત અને પાચન સબંધી સમસ્યાઓમાં ચોળાનું સેવન કરવાનું કહેવામાં આવે છે. અપચો, ઝાડા, અને કબજીયાત ના ઉપચાર તરીકે તમે ચોળા નું સેવન કરવાથી રાહત મળે છે.

Tags :
Advertisement
Advertisement