Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

રાજ્યસભાના 33% સભ્યો સામે ક્રિમિનલ કેસ: 2 હત્યાના આરોપી, 80% CPM સાંસદો કલંકિત!

12:15 PM Mar 02, 2024 IST | Chandresh

ADR report: રાજ્યસભાના 225 વર્તમાન સભ્યોમાંથી 33 ટકાએ તેમની સામે ફોજદારી કેસ નોંધાયેલા હોવાનું જાહેર કર્યું છે. તેમાંથી 18 ટકા લોકો સામે હત્યા અને હત્યાના પ્રયાસ (ADR report) સહિતના ગંભીર ગુનાહિત કેસ છે. ઉપલા ગૃહના આ વર્તમાન સભ્યોની કુલ સંપત્તિ 19,602 કરોડ રૂપિયા છે. તેમાંથી 14 ટકા એટલે કે 31 સભ્યો અબજોપતિ છે.

Advertisement

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (ADR) અને નેશનલ ઈલેક્શન વોચ (NEW) એ ચૂંટણી પંચને સુપરત કરાયેલ એફિડેવિટના આધારે રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટ અનુસાર, ચાર સભ્યોએ એફિડેવિટમાં જણાવ્યું છે કે તેમની વિરુદ્ધ આઈપીસીની કલમ 307 હેઠળ હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે. 225 સભ્યોમાંથી જેમના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, 75એ તેમની સામે ફોજદારી કેસ નોંધ્યા હતા અને 40એ ગંભીર ફોજદારી કેસ નોંધ્યા હતા.

Advertisement

રિપોર્ટ અનુસાર, ભાજપના 90 રાજ્યસભા સભ્યોમાંથી 23 ટકાએ તેમની વિરુદ્ધ અપરાધિક કેસ હોવાની માહિતી આપી છે. કોંગ્રેસના 28માંથી 14 સાંસદો, તૃણમૂલ કોંગ્રેસના 13માંથી પાંચ, RJDના છમાંથી ચાર, CPI(M)ના પાંચમાંથી ચાર (80 ટકા) અને આમ આદમી પાર્ટીના 10માંથી ત્રણ સભ્યો વિરુદ્ધ ફોજદારી કેસ છે. YSRCPના 11 સભ્યોમાંથી ચાર અને DMKના 10માંથી બે સભ્યો સામે ફોજદારી કેસ છે.

Advertisement

ભાજપના 10 સભ્યો સામે ગંભીર કેસ
ભાજપના 90માંથી 10 સભ્યો સામે ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે. કોંગ્રેસના 28 સભ્યોમાંથી 9, ટીએમસીના 13 સભ્યોમાંથી 3, આરજેડીના છ સભ્યોમાંથી 2, સીપીઆઈ(એમ)ના 5માંથી 2 સભ્યો પર ગંભીર ગુનાહિત કેસ છે. AAPના 10માંથી એક સાંસદ સામે ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલ છે. YSCRPના 11 સભ્યોમાંથી ત્રણ અને DMKના 10 સભ્યોમાંથી એક પર આ શ્રેણી હેઠળ કેસ નોંધાયેલા છે.

Advertisement
Tags :
Next Article