For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

વિશ્વનું એકમાત્ર મંદિર, જ્યાં હનુમાનજીની મૂર્તિ સાથે બિરાજમાન છે એક સ્ત્રી- જાણો આ મંદિર સાથે જોડાયેલી માન્યતા

06:47 PM Dec 27, 2023 IST | V D
વિશ્વનું એકમાત્ર મંદિર  જ્યાં હનુમાનજીની મૂર્તિ સાથે બિરાજમાન છે એક સ્ત્રી  જાણો આ મંદિર સાથે જોડાયેલી માન્યતા

Hanumanji Mandir in Khammam: તમે દુનિયાભરમાં એવા ઘણા મંદિરો વિશે સાંભળ્યું જ હશે, જે પોતાનામાં અનોખા છે. ત્યારે આવું જ એક અનોખું મંદિર તેલંગાણાના ખમ્મમ( Hanumanji Mandir in Khammam) જિલ્લામાં છે. આ મંદિરમાં હનુમાનજીની સાથે તેમની પત્નીની પણ પૂજા થાય છે.જી હા તમને પણ સાંભળીને ઘણી નવાઈ લાગી હશે પરંતુ આ એક વાસ્તવિકતા છે. તો શું છે આ અમન્દીરનું રહસ્ય તે અપને જાણીશું આ લેખમાં

Advertisement

હનુમાનજીના લગ્ન સૂર્યદેવની પુત્રી સાથે થયા હતા
સામાન્ય રીતે આપણે બધા જાણીએ છીએ કે હનુમાનજી બાળ બ્રહ્મચારી હતા. તેમણે જીવનભર બ્રહ્મચર્યનું પાલન કર્યું અને તેથી જ બ્રહ્મચર્યનું પાલન કરનારા લોકો તેમની પૂજા કરે છે. પરંતુ તેના લગ્ન થયા હોવાની વાતો પણ ઘણી જગ્યાએ પ્રચલિત છે.એવું કહેવાય છે કે હનુમાનજીના લગ્ન સૂર્યદેવની પુત્રી સુવર્ચલા સાથે થયા હતા. પરાશર સંહિતામાં પણ તેમના લગ્નનો ઉલ્લેખ છે. તેલંગાણાના ખમ્મમ જિલ્લામાં સ્થિત આ પ્રાચીન મંદિરમાં હનુમાનજી અને તેમની પત્ની સુવર્ચલા બંનેની પૂજા થાય છે. સ્થાનિક લોકો દર વર્ષે જ્યેષ્ઠ શુદ્ધ દશમી પર હનુમાનજી અને સુવર્ચલાના લગ્ન ખૂબ જ ધામધૂમથી ઉજવે છે.

Advertisement

કેવી રીતે થયા હતા હનુમાનજીના લગ્ન
હવે તમે એ જાણવા માટે ઉત્સુક હશો કે હનુમાનજીના લગ્ન કેવી રીતે અને ક્યારે થયા. તો ચાલો આજે આ રહસ્ય ખોલીએ. પરાશર સંહિતા અનુસાર, હનુમાનજીએ સૂર્ય ભગવાનને પોતાના ગુરુ બનાવ્યા હતા. વાસ્તવમાં, સૂર્ય ભગવાનને 9 દિવ્ય જ્ઞાન હતા, જે હનુમાનજી પ્રાપ્ત કરવા માંગતા હતા.જો કે સૂર્યદેવે તેમની 9માંથી 5 વિદ્યાઓનું જ્ઞાન હનુમાનજીને આપ્યું હતું, પરંતુ તેઓ બાકીની 4 વિદ્યાઓને લઈને ચિંતિત થઈ ગયા હતા. વાસ્તવમાં, બાકીની 4 વિદ્યાઓનું જ્ઞાન મેળવવા માટે શિષ્યનું લગ્ન કરવું જરૂરી હતું, પરંતુ હનુમાનજી બાળ બ્રહ્મચારી હતા.ત્યારે આ સમસ્યાને દૂર કરવા માટે, સૂર્ય ભગવાને હનુમાનજીને એક ઉપાય સૂચવ્યો અને તેમને લગ્ન કરવા કહ્યું. હવે હનુમાનજી પણ ધાર્મિક મુસીબતમાં પડ્યા, કારણ કે તેઓ સૂર્ય ભગવાન પાસેથી જ્ઞાન લેવા માંગતા હતા, પરંતુ સાથે જ તેઓ બ્રહ્મચારી પણ રહેવા માંગતા હતા. જો કે, ઘણી સમજાવટ પછી, હનુમાનજી લગ્ન કરવા માટે રાજી થયા.જ્યારે હનુમાનજી લગ્ન માટે તૈયાર હતા, ત્યારે તેમની યોગ્ય છોકરીની શોધ શરૂ થઈ, જે સૂર્ય ભગવાનની પુત્રી સુવર્ચલા સાથે સમાપ્ત થઈ. સૂર્ય ભગવાને હનુમાનજીને તેમની પુત્રી વિશે કહ્યું કે સુવર્ચલા અત્યંત તપસ્વી અને તેજસ્વી છે અને ફક્ત તમે જ તેની તેજસ્વીતાને સહન કરી શકો છો.સૂર્યદેવે હનુમાનજીને એમ પણ કહ્યું કે લગ્ન પછી સુવર્ચલા ફરીથી તપસ્યા કરશે, જેના કારણે તમને દૈવી જ્ઞાનની પ્રાપ્તિ થશે અને તમારું બ્રહ્મચર્ય પણ જળવાઈ રહેશે. આ બધી વાતો જાણ્યા પછી હનુમાનજીએ સુવર્ચલા સાથે લગ્ન કર્યા અને આ કારણે તેમના લગ્ન થઈ ગયા અને તેમનું બ્રહ્મચર્ય પણ ન ભંગ થયું.

Advertisement

હનુમાનજીના આ દર્શન કરવાથી પતિ પત્નીના સબંધમાં નિકટતા આવે છે
હૈદરાબાદથી લગભગ 220 કિલોમીટરના અંતરે આવેલા આ મંદિરમાં હનુમાનજી અને સુવર્ચલા દેવી બંનેની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. એવું કહેવાય છે કે જે પણ આ મંદિરમાં હનુમાનજી અને તેમની પત્નીના દર્શન કરે છે, તેના તમામ દુ:ખ અને પીડા દૂર થઈ જાય છે.

શનિવાર અને મંગળવારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ
શનિવાર અને મંગળવારે બજરંબલીની પૂજા કરવાથી દરેક પ્રકારના દુ:ખ અને ભયમાંથી મુક્તિ મળે છે. અઠવાડિયાના આ બંને દિવસોમાં હનુમાનજીના મંદિરમાં જઈને ચમેલીના તેલ, સિંદૂર અને ચણાના લોટના લાડુ ચઢાવવાથી મનવાંછિત ફળ મળે છે. આ સિવાય આ દિવસે બજરંબલીની સાથે ભગવાન રામ અને માતા સીતાની અવશ્ય પૂજા કરો, તો જ તમને યોગ્ય પરિણામ મળશે. શનિવાર અને મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement