For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરતના ખોડિયાર મંદિરમાં છે મહાકાય મધપૂડો કોઈ દિવસ દર્શને આવતા લોકોને હજુ સુધી એક ડંખ નથી લગાવ્યો

06:09 PM Jun 04, 2020 IST | Dhruvi Patel
સુરતના ખોડિયાર મંદિરમાં છે મહાકાય મધપૂડો કોઈ દિવસ દર્શને આવતા લોકોને હજુ સુધી એક ડંખ નથી લગાવ્યો

ખોડિયાર માતાના મંદિરમાં વર્ષોથી છે મહાકાય મધપૂડો, મંદિરમાં આવતા ભાવિકોને હજુ સુધી નથી માર્યો ડંખ

Advertisement

ભક્ત અને ભગવાન એક થાય છે ત્યારે શ્રદ્ધા નું સર્જન થાય છે અને ભગવાન ની ભક્તિ થાય છે. આ વાતનો પુરાવો સુરતના એક મંદિરમાં સાચો પુરવાર થાઈ છે. સુરતના ઓલપાડ તાલુકાના ડભારી ગામે અરબી સમુદ્રના કાંઠે ખોડિયાર માતાજીનું એક નાનકડું મંદિર આવેલું છે. આ ધાર્મિક સ્થાનને અહિં લોકો ભાગી વાડી તરીકે પણ ઓળખે છે.

Advertisement

દરિયા કિનારાના ખોડિયાર માતાના મંદિર પર ભક્તોને અતૂટ શ્રધ્ધા અને આસ્થા છે. જેનો પુરાવો મંદિરના ગર્ભ ગૃહમાં જતા મુખ્ય દ્વારા પર થયેલો મધપૂડો છે. આ મંદિરમાં આવતા ભાવિકોના કહેવા મુજબ અહિં છેલ્લા ઘણાં વર્ષોથી માતાજીના ગર્ભ ગૃહના મુખ્ય દ્વાર ઉપર કે જ્યાંથી લોકો ઉભા રહી અને મંદિરની અંદર પ્રવેશી માતાજીના મંદિરમાં દર્શન કરે છે. ત્યાં મધમાખી મધપૂડો બનાવે છે. નવાઈની વાત તો એ કે, દર્શન અર્થે આવતા ભક્તોને આજ સુધી મધમાખી એ ડંખ નથી માર્યો.

Advertisement

મધમાખીઓ જાણે મંદિરની રખેવાળી કરી રહી હોય...

ચમત્કારની વાત તો એ કે, અહિં આવતા ભાવિકોને મધમાખી કોઈ જ પ્રકારનું નુકસાન નથી પહોંચાડતી. આટલું જ નહીં પણ મધમાખી મંદિરની રખેવાળી પણ કરે છે. રવિવારના રોજ અહિં મોટી સંખ્યામાં માતાજીના ભાવિકો દર્શને આવતાં હોય છે. એમ કહેવાય છે કે, મધમાખી જેના પર આવીને બેસે તેને માતાજીના આશિર્વાદ મળ્યા હોવાનું માનવામાં આવે છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement