For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

અંતિમ સંસ્કાર માટે જતા પરિવારને નડ્યો ભયંકર અકસ્માત- એક જ પરિવારના 4 લોકોના મોત

06:27 PM Dec 25, 2023 IST | Dhruvi Patel
અંતિમ સંસ્કાર માટે જતા પરિવારને નડ્યો ભયંકર અકસ્માત  એક જ પરિવારના 4 લોકોના મોત

4 people died in accident in Telangana: તેલંગાણાના નાલગોંડામાંથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ઘરે લઈ જતી વખતે પરિવાર જ માર્ગ અકસ્માતનો શિકાર બન્યો હતો. આ અકસ્માતમાં મૃતદેહ લઈ જઈ રહેલા 4 લોકોના મોત થયા હતા અને 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.(4 people died in accident in Telangana) આવી સ્થિતિમાં અચાનક થયેલા અકસ્માતે શોકગ્રસ્ત પરિવારના શોકમાં વધારો કર્યો હતો. જે પહેલાથી જ તેના એક સભ્યના અવસાનથી શોકમાં ગરકાવ હતો, પરિવારના વધુ ચાર સભ્યોએ દુનિયાને અલવિદા કહી દીધું. આ બેવડા દુઃખે સમગ્ર પરિવારને હચમચાવી દીધો છે.

Advertisement

અંતિમ સંસ્કાર કરવા જતા સર્જાયો અકસ્માત
અકસ્માતની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળેથી મળી આવેલા મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, સોમવારે આ લોકો અંતિમ સંસ્કાર માટે તેમના એક સંબંધીના મૃતદેહને ઘરે લઈ જઈ રહ્યા હતા. રસ્તામાં ગાઢ ધુમ્મસના કારણે તેમની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના ટુકડા થઈ ગયા હતા. અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની હાલત પણ ગંભીર હોવાનું કહેવાય છે.

Advertisement

તપાસમાં જોડાઈ પોલીસ
નિદામનુર પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટરએ જણાવ્યું કે, દુર્ઘટના સોમવારે સવારે લગભગ 4 વાગે થઈ હતી. ધુમ્મસના કારણે બંને વાહનો વચ્ચે અથડામણ થઈ હોવાની સંપૂર્ણ આશંકા છે. આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 3 લોકો ઘાયલ થયા હતા, જેમની નાલગોંડાની મિરિયાલાગુડા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે

Advertisement

તમને જણાવી દઈએ કે, 24 ડિસેમ્બરના રોજ વાંપાડ ગામમાં એક ચારરસ્તાની વચ્ચે બાઇક સવાર એક મુસાફરનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર એક રાહદારીનું મોત થયું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement